ધાનેરાઃ હિન્દૂ-જૈન સમાજના સંગઠનો દ્વારા શ્રાવણ મહિને માંસની દુકાનો બંધ રાખવા આવેદન
અટલ સમાચાર, ધાનેરા (અંકુર ત્રિવેદી) ધાનેરામાં વિવિધ સંગઠનોએ એકઠા થઈ શ્રાવણ માસમાં કતલખાના અને માસની દુકાનો બંધ રાખવા માટે પાલિકા અને મામલતદાર કચેરીને રેલી કાઢી આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં મહિલાઓ પણ જોડાઈ હતી. ધાનેરા તાલુકાના હિન્દુ અને જૈન સમાજના વિવિધ સંગઠનો એકઠા થઈ શ્રાવણ માસના પ્રારંભ પહેલા શહેરમાં પ્રાણીઓની કતલ ન થાય અને માંસનું વેચાણ
Jul 31, 2019, 13:50 IST
અટલ સમાચાર, ધાનેરા (અંકુર ત્રિવેદી)
ધાનેરામાં વિવિધ સંગઠનોએ એકઠા થઈ શ્રાવણ માસમાં કતલખાના અને માસની દુકાનો બંધ રાખવા માટે પાલિકા અને મામલતદાર કચેરીને રેલી કાઢી આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં મહિલાઓ પણ જોડાઈ હતી.
ધાનેરા તાલુકાના હિન્દુ અને જૈન સમાજના વિવિધ સંગઠનો એકઠા થઈ શ્રાવણ માસના પ્રારંભ પહેલા શહેરમાં પ્રાણીઓની કતલ ન થાય અને માંસનું વેચાણ ન થાય તે માટે રેલી કાઢી હતી. ત્યારબાદ ધાનેરા નગરપાલિકા અને મામલતદાર કચેરી પહોંચી લેખીતમાં જાણ કરતું આવેનદ આપ્યું હતું. શહેરના માર્ગ પરથી નીકળેલી આ રેલીમાં વિવિધ સંગઠનોની મહિલાઓ પણ જોડાઈ હતી.