ધારુહેડાઃ દૂધસાગર ડેરીના સંવર્ધક સ્વ.મોતીભાઈ ચૌધરીની 14મી પૂર્ણ્યતિથીની ઉજવણી

અટલ સમાચાર, ડેસ્ક દૂધસાગર ડેરી, મહેસાણા અને દૂધ મોતીસાગર દેરી, ધારુહેડા ખાતે દૂધસાગર ડેરીના સંવર્ધક સ્વ. મોતીભાઈ ર. ચૌધરીની 14મી પૂર્ણ્યતિથીની ઉજવણી કરવામાં આવી હતી. દૂધસાગર ડેરીના અધ્યક્ષા આશાબેન ઠાકોર, વડનગરના સહકારી અગ્રણી રણજીતસિંહ ઠાકોર, એકઝીક્યુટીવ ડીરેક્ટર ડૉ.નીતીન સંચેતી, આસી. જનરલ મેનેજર નાગજીભાઈ ચૌધરી તથા કર્મચારીઓની ઉપસ્થિતીમાં ડેરામાં રિસેપ્શન પાસે ડેરીના સંર્વધક મોતીભાઈ ર. ચૌધરીને
 
ધારુહેડાઃ દૂધસાગર ડેરીના સંવર્ધક સ્વ.મોતીભાઈ ચૌધરીની 14મી પૂર્ણ્યતિથીની ઉજવણી

અટલ સમાચાર, ડેસ્ક

દૂધસાગર ડેરી, મહેસાણા અને દૂધ મોતીસાગર દેરી, ધારુહેડા ખાતે દૂધસાગર ડેરીના સંવર્ધક સ્વ. મોતીભાઈ ર. ચૌધરીની 14મી પૂર્ણ્યતિથીની ઉજવણી કરવામાં આવી હતી.

દૂધસાગર ડેરીના અધ્યક્ષા આશાબેન ઠાકોર, વડનગરના સહકારી અગ્રણી રણજીતસિંહ ઠાકોર, એકઝીક્યુટીવ ડીરેક્ટર ડૉ.નીતીન સંચેતી, આસી. જનરલ મેનેજર નાગજીભાઈ ચૌધરી તથા કર્મચારીઓની ઉપસ્થિતીમાં ડેરામાં રિસેપ્શન પાસે ડેરીના સંર્વધક મોતીભાઈ ર. ચૌધરીને શ્રધ્ધાંજલી અર્પવાનો કાર્યક્રમ યોજાયો હતો. સૌપ્રથમ તેઓની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યો તથા પ્રાર્થના કરી મૌન પાડવામાં આવ્યું હતું. દૂધમોતીસાગર ડેરી ધારુહેડા ખાતે અક્ષય શાહ, એ.કે.રાવ તથા સ્ટાફે મળી સામુહીક રાતે દૂધસાગર ડેરીના સંર્વધક સ્વ. મોતીભાઈ ર. ચૌધરીને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.