ઘટસ્ફોટ@કડી: ઝઘડો થતાં કિન્નરની હત્યાં કરી લાશ કેનાલમાં ફેંકી દીધી, 7 કિન્નરો ઝડપાયાં, 2 વોન્ટેડ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા કડી પંથકની એક કેનાલમાં ગત દિવસોએ મળેલી લાશની તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. કડી પોલીસે અલગ-અલગ ટીમો બનાવી અને LCBની મદદથી લાશનો ભેદ ઉકેલી નાંખ્યો છે. ગત દિવસોએ મળેલી લાશ એક કિન્નરની અને તેની હત્યા પણ 9 કિન્નરોએ ભેગા મળીને કરી હોવાનું બહાર આવતાં હડકંપ મચી ગયો છે. પોલીસની
 
ઘટસ્ફોટ@કડી: ઝઘડો થતાં કિન્નરની હત્યાં કરી લાશ કેનાલમાં ફેંકી દીધી, 7 કિન્નરો ઝડપાયાં, 2 વોન્ટેડ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

કડી પંથકની એક કેનાલમાં ગત દિવસોએ મળેલી લાશની તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. કડી પોલીસે અલગ-અલગ ટીમો બનાવી અને LCBની મદદથી લાશનો ભેદ ઉકેલી નાંખ્યો છે. ગત દિવસોએ મળેલી લાશ એક કિન્નરની અને તેની હત્યા પણ 9 કિન્નરોએ ભેગા મળીને કરી હોવાનું બહાર આવતાં હડકંપ મચી ગયો છે. પોલીસની ટીમે અત્યાર સુધી કુલ 7 આરોપી કિન્નરોની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરવા કવાયત શરૂ કરી છે. આ તરફ અન્ય 2 કિન્નરોની શોધખોળ ચાલુ હોવાનું પોલીસ તરફથી જાણવા મળ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના કડી તાલુકાના રંગપુરડા નજીકથી પસાર થતી કેનાલમાંથી ગત તા.18/03/2021ના રોજ તરતી લાશ મળી આવી હતી. જે બાદમાં તપાસ કરતાં તે લાશની ઓળખ ભાવેશ ઉર્ફે ભાવિકા છનાજી ઠાકોર (ઉ.વ.24,રહે.નાંદોલ,તા.દહેગામ,જી.ગાંધીનગર) તરીકે થઇ હતી. સમગ્ર મામલે રેન્જ આઇજી અભય ચુડાસમા, મહેસાણા SP ડો.પાર્થરાજસિંહ ગોહિલ અને DySp ભક્તિબા ઠાકરે પરીણામલક્ષી કાર્યવાહી કરી આરોપીઓને ઝડપી લેવા સુચના આપી હતી. જે અનુસંધાને કડી PI ડી.બી.ગોસ્વામી, PSI બી.એમ.પટેલ સહિતનાએ LCB PI બી.એચ.રાઠોડના સંપર્કમાં રહી તપાસ શરૂ કરી હતી.

ઘટસ્ફોટ@કડી: ઝઘડો થતાં કિન્નરની હત્યાં કરી લાશ કેનાલમાં ફેંકી દીધી, 7 કિન્નરો ઝડપાયાં, 2 વોન્ટેડ
આરોપીઓના નામ

આ દરમ્યાન કડી પોલીસે કિન્નરની લાશ મામલે સઘન તપાસ કરતાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. જેમાં વડોદરા જીલ્લાના જરોદ ગામ ખાતે રહેતાં કિન્નર સમુદાયમાં ગુરૂમાતા વૈભાલી માસી સાથે કિન્નર ભાવિકાને ઝગડો થતો હતો. આથી કિન્નર ભાવેશ ઉર્ફે ભાવિકાએ ગુરૂ માતાનો સાથ છોડી કિન્નરોના અન્ય અખાડામાં જતા રહ્યા હતા. ગુરૂમાતાનો અખાડો છોડ્યા બાદ ભિક્ષાવૃત્તિ કરવામાં કિન્નરોના બંને જૂથ વચ્ચે ભિક્ષાવૃત્તિ મામલે તકરાર થતી હતી. આથી કિન્નર ભાવિકાના ગુરૂમાતા એવા વૈભાલી માસીએ તરકટ રચી સાથી કિન્નરોને બોલાવી તેના માથાના વાળ અને આઈબ્રોના વાળ કાપી કિન્નર ભાવિકાને ઢોર માર માર્યો હતો. આ તરફ કિન્નર ભાવિકા મોતને ભેટતા મોતને ઘાટ ઉતારનાર કુલ 9 જેટલા કિન્નરોએ વડોદરાથી 71 કિલોમીટર દુર ભાવિકાની લાશ નર્મદા કેનાલમાં નાખી દીધી હતી. જે આખરે કેનાલમાં તરતી-તરતી કડી તાલુકાના રંગપુરડા ગામ નજીક નર્મદા કેનાલમાં આવી હતી.

ઘટસ્ફોટ@કડી: ઝઘડો થતાં કિન્નરની હત્યાં કરી લાશ કેનાલમાં ફેંકી દીધી, 7 કિન્નરો ઝડપાયાં, 2 વોન્ટેડ
કડી પોલીસની ટીમે ઝડપ્યાં આરોપીઓને

સૂત્રોએ જણાવ્યું હતુ કે, કડી પોલીસને ટીમે ચોક્કસ બાતમીઓ મેળવી અને ટેક્નિકલ સર્વેલન્સ દ્રારા 7 આરોપી કિન્નરોની અટકાયત કરી છે. પોલીસને કિન્નર ભાવિક સાથેની વિશેષ હાજરીના પુરાવા આધારે જાનું નામના કિન્નરની અટકાયત કરતા સમગ્ર હત્યા કેસનો ભેદ ઉકેલાઈ ગયો છે. કિન્નર જાનુંની પૂછપરછમાં 9 કિન્નરોએ સાથે મળી કિન્નર ભાવિકાની હત્યા કરી લાશ કેનાલમાં ફેંકી દીધી હોવાનું કબુલ્યું હતું. આથી કડી પોલીસે હત્યારા કુલ 9 કિન્નરોમાંથી 7 કિન્નરોની હત્યા કેસમાં ધરપકડ કરી લીધી છે. હત્યાને અંજામ આપનાર મુખ્ય આરોપી અને ગુરૂમાતા એવા વૈભાલી સહીત 2 હત્યારા કિન્નર હાલમાં ફરાર છે.

કિન્નરોમાં અંદરોઅંદર ઝઘડો થતાં કિન્નરની હત્યા કરી લાશ કેનાલમાં ફેંકી દીધી

વડોદરા જીલ્લાના જરોદ ગામ ખાતે રહેતા કિન્નર સમુદાયમાં ગુરૂમાતા વૈભાલી માસી સાથે કિન્નર ભાવિકાને ઝગડો થતો હતો. આથી કિન્નર ભાવેશ ઉર્ફે ભાવિકાએ ગુરુ માતાનો સાથ છોડી કિન્નરોના અન્ય અખાડામાં જતા રહ્યા બાદ ભિક્ષાવૃત્તિ કરવામાં કિન્નરોના બંને જૂથ વચ્ચે તકરાર થતી હતી. આથી કિન્નર ભાવિકાના ગુરૂમાતા એવા વૈભાલી માસીએ તરકટ રચી સાથી કિન્નરોને બોલાવી તેના માથાના વાળ અને આઈબ્રોના વાળ કાપી કિન્નર ભાવિકાને ઢોર માર માર્યો હતો. આથી કિન્નર ભાવિકા મોતને ભેટતા મોતને ઘાટ ઉતારનાર કુલ 9 જેટલા કિન્નરોએ વડોદરાથી 71 કિલોમીટર દુર ભાવિકાની લાશ નર્મદા કેનાલમાં નાખી દીધી હતી. જોકે કેનાલમાં તરતી-તરતી લાશ કડી તાલુકાના રંગપુરડા ગામ નજીક નર્મદા કેનાલમાં આવી હતી.