ઘટસ્ફોટ@દાંતા: આશ્રમશાળાના વિદ્યાર્થીના આપઘાતનો કેસ, ચિઠ્ઠીથી ખુલાસો

અટલ સમાચાર, વિજયનગર દાંતા પંથકના કિશોરનો કાલે વિજયનગરથી મૃતદેહ મળી આવ્યા બાદ સ્યુસાઇડ નોટથી ચોંકાવનારો ખુલાસો થયો છે. સ્યુસાઇડ નોટના આધારે તેને એકતરફી પ્રેમસંબંધને લઇ આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છે. સ્યુસાઇડ નોટમાં કિશોરે તેના માતા-પિતાની માફી પણ માંગી હોવાનું લખેલુ છે. સમગ્ર મામલે પોલીસે પરિવારજનોની ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
 
ઘટસ્ફોટ@દાંતા: આશ્રમશાળાના વિદ્યાર્થીના આપઘાતનો કેસ, ચિઠ્ઠીથી ખુલાસો

અટલ સમાચાર, વિજયનગર

દાંતા પંથકના કિશોરનો કાલે વિજયનગરથી મૃતદેહ મળી આવ્યા બાદ સ્યુસાઇડ નોટથી ચોંકાવનારો ખુલાસો થયો છે. સ્યુસાઇડ નોટના આધારે તેને એકતરફી પ્રેમસંબંધને લઇ આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છે. સ્યુસાઇડ નોટમાં કિશોરે તેના માતા-પિતાની માફી પણ માંગી હોવાનું લખેલુ છે. સમગ્ર મામલે પોલીસે પરિવારજનોની ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના વિજયનગર તાલુકાના પૃથ્વીપુરા ગામે આવેલી આશ્રમ શાળામાં અભ્યાસ કરતા કિશોરની ગઇકાલે ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકાના કુકડી ગામના અને વિજયનગરના પૃથ્વીપુરા ગામે રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીની આશ્રમશાળાની દિવાલ પાસેથી ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આશ્રમશાળાના કંપાઉન્ડ વિસ્તારમાં કણજીના ઝાડ પર દોરડા વડે લટકતી હાલતમાં એક કીશોરનો મૃતદેહ જોવા મળ્યો હતો. જોકે તપાસ કરતા મૃતક કિશોર સ્થાનિક આશ્રમ શાળામાં જ રહીને ધોરણ દશમાં અભ્યાસ કરતો હોવાનુ સામે આવ્યુ હતું. મૂળ બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકાના કુકડી ગામનો કિશોર વિદ્યાર્થીએ એક તરફી પ્રેમ સંબંધોને લઇને આત્મહત્યા કરી હોવાનુ સ્યુસાઇડ નોટ પરથી પ્રાથમિક રીતે પોલીસે અનુમાનીક તપાસ હાથ ધરી છે.