દોડધામ@બનાસકાંઠા: કોરોના સંક્રમણ કાબૂ બહાર, આજે નવા 8 દર્દીઓ ઉમેરાયાં
અટલ સમાચાર, પાલનપુર બનાસકાંઠા જીલ્લામાં કોરોના કાબુ બહાર ગયો હોય તેમ આજે 8 આંક 881 પહોંચ્યો છે. અનલોકમાં મળેલી છૂટછાટોને કારણે સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધતું હોય તેમ કોરોના કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આજે જીલ્લાના નવા 8 કેસ આવતાં તેમના સંપર્કમાં આવેલા લોકો ચોંકી ઉઠ્યા છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં
Aug 2, 2020, 20:20 IST
અટલ સમાચાર, પાલનપુર
બનાસકાંઠા જીલ્લામાં કોરોના કાબુ બહાર ગયો હોય તેમ આજે 8 આંક 881 પહોંચ્યો છે. અનલોકમાં મળેલી છૂટછાટોને કારણે સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધતું હોય તેમ કોરોના કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આજે જીલ્લાના નવા 8 કેસ આવતાં તેમના સંપર્કમાં આવેલા લોકો ચોંકી ઉઠ્યા છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જીલ્લામાં આજે સાંજના સમયે 8 દર્દીઓનો ઉમેરો થતાં ચકચાર મચી ગઇ છે. આજે ડીસામાં 3, પાલનપુરમાં 1, દાંતીવાડામાં 1, થરાદમાં 1, ભાભરમાં 1 અને વાવમાં 1 મળી નવા 8 કેસ સામે આવ્યા છે. આ તરફ આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં મોકલી આપી કોવિડ ગાઇડલાઇન લગત તેમના એકદમ નજીકથી અને થોડે દૂરથી સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરી છે.