દોડધામ@ધાનેરા: ધોરણ 9ના વિદ્યાર્થીને માર માર્યો, શિક્ષક વિરૂધ્ધ રોષ

અટલ સમાચાર,ધાનેરા (અંકુર ત્રિવેદી) ધાનેરા તાલુકાના ગામે એક ખાનગી શાળમાં શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યો હોવાનુ સામે આવ્યુ છે. ઘોરણ-9ના વિદ્યાર્થીને શિક્ષકે ઢોર માર મારતા તેને કમરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. વિદ્યાર્થીને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો બનાસકાંઠાના ધાનેરાના આલવાડા ગામની લક્ષ્મીવિદ્યામંદિર નામની ખાનગી
 
દોડધામ@ધાનેરા: ધોરણ 9ના વિદ્યાર્થીને માર માર્યો, શિક્ષક વિરૂધ્ધ રોષ

અટલ સમાચાર,ધાનેરા (અંકુર ત્રિવેદી)

ધાનેરા તાલુકાના ગામે એક ખાનગી શાળમાં શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યો હોવાનુ સામે આવ્યુ છે. ઘોરણ-9ના વિદ્યાર્થીને શિક્ષકે ઢોર માર મારતા તેને કમરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. વિદ્યાર્થીને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

બનાસકાંઠાના ધાનેરાના આલવાડા ગામની લક્ષ્‍મીવિદ્યામંદિર નામની ખાનગી શાળામાં વિવાદમાં આવી છે. શાળાના વિદ્યાર્થી શિત્તલ પ્રજાપતિને લેશન ન લાવવાની સામાન્ય બાબતમાં શિક્ષકે ઢોર માર માર્યો હતો. શિક્ષક એટલી હદે નિર્દય બની ગયા હતા કે તેમણે વિદ્યાર્થીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઘટનાને લઇ વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ધોરણ 9માં ભણતા વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવતા પંથકમાં શિક્ષક પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. લક્ષ્‍મીવિદ્યામંદિરમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી શીતલ લેશન ના લાવતા શિક્ષકે પિત્તો ગુમાવ્યો બાદ વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો. જેમાં વિદ્યાર્થીને કમરના ભાગે ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.