દોડધામ@સાબરકાંઠા: આજે નવા બે કેસ આવ્યા, કોરોનાનો આંકડો 113 પહોંચ્યો

અટલ સમાચાર, હિંમતનગર સાબરકાંઠા જીલ્લામાં આજે કોરોનાના નવા બે કેસ સામે આવ્યા છે. જેમાં ઈડરના ગણેશપુરામાં અને હિંમતનગરના પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં બે લોકોનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આજે પોઝિટીવ આવેલા બંને દર્દીઓને તાત્કાલિક અસરથી સારવાર અર્થે આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. આ સાથે તેમના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. અટલ સમાચાર આપના
 
દોડધામ@સાબરકાંઠા: આજે નવા બે કેસ આવ્યા, કોરોનાનો આંકડો 113 પહોંચ્યો

અટલ સમાચાર, હિંમતનગર

સાબરકાંઠા જીલ્લામાં આજે કોરોનાના નવા બે કેસ સામે આવ્યા છે. જેમાં ઈડરના ગણેશપુરામાં અને હિંમતનગરના પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં બે લોકોનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આજે પોઝિટીવ આવેલા બંને દર્દીઓને તાત્કાલિક અસરથી સારવાર અર્થે આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. આ સાથે તેમના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લામાં આજે ઈડરના ગણેશપુરામાં 48 વર્ષીય પુરુષ અને હિંમતનગરના પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં 61 વર્ષીય પુરુષ મળી બે લોકોનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ બંને લોકોને કોરોનાનો ચેપ ક્યાંથી લાગ્યો તે હજી સામે નથી આવ્યુ પરંતુ તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોની આરોગ્ય તંત્ર દ્રારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધી 113 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. આ તરફ અત્યાર સુધી 89 કોરોનાગ્રસ્ત દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. આજે નવા બે કેસ આવતા આરોગ્ય તંત્રમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમણ તોડવા ભારે દોડધામ મચી છે. આ તરફ બંને કોરોનાગ્રસ્ત દર્દીઓને તાત્કાલિક સારવાર અર્થે આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.