દોડધામ@ઉ.ગુ.: આજે કોરોનાના 9 કેસ આવ્યા, સંક્રમણ બન્યુ બેફામ

અટલ સમાચાર,મહેસાણા કોરોના મહામારી વચ્ચે આજે ઉત્તર ગુજરાતમાં આજે કોરોનાના નવા 9 કેસ સામે આવ્યા છે. જેમાં પાટણ જીલ્લામાં ચાર કેસ, બનાસકાંઠા જીલ્લામાં ત્રણ અને સાબરકાંઠા જીલ્લામાં બે કેસ મળી કુલ 9 કેસ સામે આવ્યા છે. જેમાં બનાસકાંઠામાં ખાનગી ચેનલના પત્રકારનો કોરોના રીપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે. આજે નોંધાયેલા તમામ કોરોનાગ્રસ્ત દર્દીઓને તાત્કાલિક સારવાર અર્થે
 
દોડધામ@ઉ.ગુ.: આજે કોરોનાના 9 કેસ આવ્યા, સંક્રમણ બન્યુ બેફામ

અટલ સમાચાર,મહેસાણા

કોરોના મહામારી વચ્ચે આજે ઉત્તર ગુજરાતમાં આજે કોરોનાના નવા 9 કેસ સામે આવ્યા છે. જેમાં પાટણ જીલ્લામાં ચાર કેસ, બનાસકાંઠા જીલ્લામાં ત્રણ અને સાબરકાંઠા જીલ્લામાં બે કેસ મળી કુલ 9 કેસ સામે આવ્યા છે. જેમાં બનાસકાંઠામાં ખાનગી ચેનલના પત્રકારનો કોરોના રીપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે. આજે નોંધાયેલા તમામ કોરોનાગ્રસ્ત દર્દીઓને તાત્કાલિક સારવાર અર્થે આઇસોલેશન વોર્ડમાં ખસેડાયા છે.

સાબરકાંઠા જીલ્લામાં નવા બે કેસ

સાબરકાંઠા જીલ્લામાં આજે કોરોનાના નવા બે કેસ સામે આવ્યા છે. જેમાં પ્રાંતિજ અને તલોદ ખાતે એક-એક કોરોનાનો પોઝીટીવ કેસ નોંધાયો છે. તલોદ તાલુકાના મનબુલભાઇ ઉસમાનભાઇ વ્હોરા ઉ.વર્ષ-55 રહે,હરસોલ, અને પ્રાંતિજના વ્હોરવાડના અબ્દુલ ખબર ગુલામનબી અજનાવાળા ઉ.વર્ષ- 68નો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જિલ્લામાં અત્યાર સુધી 116 કોરોના પોઝીટીવ જિલ્લામાં અત્યાર સુધી 89 દર્દી સાજા થતા રજા અપાઇ છે. આ સાથે જિલ્લામાં અત્યાર સુધી 6 લોકોના મોત થયા તો હાલ 21 પોઝીટીવ કેસના દર્દીઓ સારવાર હેઠળ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લામાં ચાર કેસ

પાટણ જીલ્લામાં આજે ચાર લોકોનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. પાટણ શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ બેફામ બન્યુ છેુ. આજે શહેરના નવા ગંજબજાર પાછળ, ચાણસ્મા હાઇવે પર આવેલી કલ્પવૃક્ષ સોસાયટીમાં 31 વર્ષીય પુરૂષ અને કેનાલ રોડ પર આવેલી સારથી રેસીડેન્સીમાં 70 વર્ષીય સ્ત્રી, શહેરના શીશ બંગ્લોઝમાં 39 વર્ષીય પુરૂષનો સહિત હારીજ શહેરમાં નાના ગણપતિ મંદીર પાસે 26 વર્ષીય પુરૂષનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

બનાસકાંઠા જીલ્લામાં આજે કોરોનાના ત્રણ કેસ

બનાસકાંઠા જીલ્લામાં કોરોનાના વધતા કહેરની વચ્ચે આજે નવા ત્રણ કેસ સામે આવ્યા છે. જેમાં ખાનગી ચેનલ પત્રકાર નિર્મલ જોષીનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ તરફ ડીસામાં પણ ગીતાબેન લાલભાઇ ભરતીયાનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. આ સાથે પાલનપુરના વકીલ કલ્પેશભાઇ રાવલનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. નોંધનિય છે કે, પત્રકાર નિર્મલ જોષી જાંબુડી ચેકપોસ્ટ પાસે રખાયેલા કોંગ્રેસના ધારાસભ્યોનું કવરેજ કરવા ગયા હતા. જ્યાં તેઓ ધારાસભ્યના સંપર્કમાં આવ્યા હોવાનું સામે આવ્યુ છે. બનાસકાંઠા જીલ્લામાં અત્યાર સુધી કોરોનાના 154 કેસ નોંધાયા છે.