શું તમારા ઘરમાં કોઇ સભ્યને દારૂની લત છે ? જાણો નશામુક્તિના ઘરગથ્થુ ઉપાયો
અટલ સમાચાર,ડેસ્ક
દારૂની લત કદાચ એક સૌથી ગંદો નશો હોય છે. મહિનામાં એક વાર પીવું યોગ્ય છે, પરંતુ કેટલાક લોકો એક અઠવાડિયામાં ત્રણથી ચાર વખત પીવે છે. હકીકતમાં કેટલાક લોકો તો દરરોજ પીવે છે. જો આપ દરરોજ પીવો છો, તો તે આપનાં આરોગ્ય પર નકારાત્મક અસર નાંખી શકે છે. આપણે સૌ જાણીએ છીએ કે દારૂ પીવાથી ઘણી બધી પ્રાણઘાતક બીમારીઓ થઈ શકે છે. તેથી સારૂં રહેશે કે આ લતને છોડી જ દેવામાં આવે. આ જ વાત પર આજે આપણે કેટલાક ઘરગથ્થુ ઉપચારો જણાવીશું કે જેથી આપને દારૂની લતમાંથી છુટકારો મળી જશે.
ઘરગથ્થુ ઉપચારોઃ
કારેલા આપનાં શરીરમાંથી નશાને બહાર કાઢવામાં મદદ કરશે તથા લીવર ડૅમેજને સાજું કરશે. થોડાક કારેલામાંથી જ્યુસ કાઢો અને તેમાંથી 3 ચમચી જ્યુસ 1 ગ્લાસ છાશ સાથે મેળવો. આ જ્યુસને દરરોજ સવારે નરણા કોઠે પીવો.
સિંહપર્ણી દારૂ પીતા-પીતા જ્યારે તેની આદત છોડવી પડે છે, તો લીવર અને બાઇલ જ્યુસને સાજા કરવામાં સિંહપર્ણીના મૂળ બહુ કામ આવે છે. સિંહપર્ણીની જડોને 1 કપ પાણીમાં ઉકાળીને ગાળી લો અને દિવસમાં 2થી 3 વખત પીવો.
નારિયેળ તેલ દારૂ પીવાથી મગજનાં મેટાબૉલિઝ્મમાં ચેંજ આવે છે, પરંતુ નારિયેળ તેલમાં એંટી-ઑક્સીડંટ હોવાનાં કારણે તે બ્રેનને હીલ કરે છે. આપે બસ દરરોજ પોતાનાં ભોજોનમાં નારિયેળ તેલની 2 ચમચી મિક્સ કરવાની રહેશે.