શિક્ષણ@ગુજરાત: ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષાનું સમયપત્રક જાહેર, જુઓ એક જ ક્લિકે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કોરોનાકાળ વચ્ચે ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષાનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં દરેક સ્કૂલો માટે વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવીને પરીક્ષા લેવી ફરજિયાત છે. શાળાઓમાં ધોરણ 6થી 12ના વર્ગો શરુ થઈ ગયા છે ત્યારે હવે સરકારે જાહેરાત કરી છે કે ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડશે. શિક્ષણ વિભાગે પરિપત્ર કરીને પરીક્ષા લેવા માટે આદેશ કરી દીધો છે. જે અનુસાર, પ્રથમ સત્રાંત પરીક્ષા 15 માર્ચથી યોજવામાં આવશે. આ પરિપત્ર અનુસાર, તમામ સ્કૂલોએ પરીક્ષા ફરજિયાતપણે લેવી પડશે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
રાજ્યમાં 15 માર્ચથી ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓની પ્રથમસત્રની નિદાન કસોટી શરૂ થશે. ગુજરાતી, વિજ્ઞાન, ગણિત, સામાજીક વિજ્ઞાન જેવા વિષયોની પરીક્ષા લેવામાં આવશે અને તમામ સ્કૂલોમાં એક જ પ્રશ્નપત્ર રહેશે. એટલું જ નહીં, વિદ્યાર્થીઓએ શાળામાં જઈને પરીક્ષા આપવાની રહેશે. આ કસોટીનો હેતુ વિદ્યાર્થી શેમાં કાચો છે તે જાણવાનો છે. આ ઉપરાંત, ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સામાજીક વિજ્ઞાનની પરીક્ષા સમાન રહેશે. બાકીના વિષયોની પરીક્ષા ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર સ્કૂલો સ્વૈચ્છિક રીતે લઈ શકશે.
સમયપત્રક
15 માર્ચ
- ધોરણ 3-5
- વિષય: ગણિત
- સમય: 11થી 1
- માર્ક્સ: 40
16 માર્ચ
- ધોરણ 3-5
- વિષય: ગુજરાતી (પ્રથમ ભાષા)
- સમય: 11થી 1
- માર્ક્સ: 40
- ગુજરાતી (દ્વિતિય ભાષા) માટેનો સમય 2થી 5
17 માર્ચ
- ધોરણ 3-5
- વિષય: પર્યાવરણ
- સમય: 11થી 1
- માર્ક્સ: 40
- ધોરણ 6-8
- વિષય: વિજ્ઞાન
- સમય: 2થી 5
- માર્ક્સ: 80
18 માર્ચ
- ધોરણ: 5
- વિષય: હિન્દી
- સમય: 11થી 1
- માર્ક્સ: 40
- ધોરણ: 6-8
- વિષય: સામાજીક વિજ્ઞાન
- સમય: 2થી 5
- માર્ક્સ: 80
19 માર્ચ
- ધોરણ: 5
- વિષય: અંગ્રેજી
- સમય: 11થી 1
- માર્ક્સ: 40
- ધોરણ: 6-8
- વિષય: અંગ્રેજી
- સમય: 2થી 5
- માર્ક્સ: 80
20 માર્ચ
- ધોરણ: 6થી 8
- વિષય: હિન્દી
- સમય: 8થી 11
- માર્ક્સ: 80
22 માર્ચ
- ધોરણ: 6થી 8
- વિષય: સંસ્કૃત
- સમય: 11થી 2
- માર્ક્સ: 80