અમલ@ગુજરાત: 4 મહાનગરોમાં આજથી 15 ફેબ્રુઆરી સુધી કર્ફ્યૂ, જાણો નવો સમય

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે રાજ્યના મહાનગરોમાં કર્ફ્યૂના નવો સમય આજથી અમલી બનશે. આજથી રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. કોરોનાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ 15 ફેબ્રુઆરી બાદ નવો નિર્ણય લેવાશે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો રાજ્યના ચાર મહાનગરોમાં લાગુ કરવામાં આવેલા કરફ્યૂના સમયમાં લોકોને રાહત આપી
 
અમલ@ગુજરાત: 4 મહાનગરોમાં આજથી 15 ફેબ્રુઆરી સુધી કર્ફ્યૂ, જાણો નવો સમય

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે રાજ્યના મહાનગરોમાં કર્ફ્યૂના નવો સમય આજથી અમલી બનશે. આજથી રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. કોરોનાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ 15 ફેબ્રુઆરી બાદ નવો નિર્ણય લેવાશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યના ચાર મહાનગરોમાં લાગુ કરવામાં આવેલા કરફ્યૂના સમયમાં લોકોને રાહત આપી કર્ફ્યૂને લંબાવી દેવામાં આવ્યું છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ ચાર મહાનગરોમાં તા.15 મી ફેબ્રુઆરી સુધી રાત્રીના 11 થી સવારે 6 સુધી કર્ફ્યૂનો અમલ રહેશે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગુજરાત સહિત દેશમાં કોવિડ-19 સંક્રમણને રોકવા અંગેની ભારત સરકારના ગૃહ મંત્રાલયે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના નિર્દેશો મુજબ 27 જાન્યુઆરીએ બહાર પાડેલી માર્ગદર્શિકાનું ગુજરાતમાં પણ ચુસ્તપણે પાલન 1લી ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી કરવાનું રાજ્ય સરકાર દ્વારા નિયત કરવામાં આવ્યું છે.