ફિલ્મ જગતઃ ‘ઇસ પ્યાર કો ક્યા નામ દૂં’ અભિનેતા સમીર શર્માએ આત્મહત્યા કરી
અટલ સમાચાર, ડેસ્ક
જાણીતા ટીવી અભિનેતા સમીર શર્માએ આત્મહત્યા કરી છે. તેમનો મૃતદેહ મલાડ સ્થિત એપોર્ટમેન્ટમાં પંખા સાથે લટકતો મળ્યો હતો. આત્મહત્યાની જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફૉરેન્સિક ટીમને પણ ઘટના સ્થળે બોલાવવામાં આવી છે. આપઘાતના કારણની હજુ સુધી માહિતી મળી નથી. પોલીસે ઘરમાં સુસાઇડ નોટની પણ તપાસ કરી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
સમીર શર્માએ સીરિયલ ‘યે રિશ્તે હૈ પ્યા કે,’ ‘કહાની ઘર ઘર કી,’ ‘લેફ્ટ રાઉટ લેફ્ટ,’ ‘ઇસ પ્યાર કો ક્યા નામ દૂં’ જેવી પ્રસિદ્ધ ટીવી સીરિયલમાં કામ કર્યું છે. સમીર શર્માનો મૃતદેહ બુધવારે (5 ઓગસ્ટના રોજ) રાત્રે મલાડ સ્થિતિ અહિંસા માર્ગ સ્થિત નેહા સીએચએસ બિલ્ડિંગમાં પોતાના ઘરે ફાંસીએ લટકતો મળી આવ્યો હતો.
મલાડ પોલીસના જણાવ્યા પ્રમાણે, સમીરે આ જ વર્ષે ફેબ્રુઆરીમાં ફ્લેટ ભાડા પર લીધો હતો. રાત્રે ફરજ દરમિયાન સોસાયટીના ચોકીદારે મૃતદેહ જોયો હતો, જે બાદમાં ચોકીદારે આ અંગેની જાણ સોસાયટીના બીજા લોકોને કરી હતી. લાશની હાલત જોઈને પોલીસને આશંકા છે કે સમીરે એક દિવસ પહેલા આપઘાત કરી લીધો હશે. મલાડ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક જ્યોર્જ ફર્નાન્ડિસે આ મામલે જાણકારી આપતા કહ્યુ કે એક્સીડેન્ટલ ડેથનો કેસ નોંધવામાં આવ્યો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.