વલસાડઃ૪૨ માસમાં રૂપિયા ડબલની લાલચે લાખોની ઠગાઇ કરી

વલસાડ,વલસાડ જિલ્લામાં ફરી એક વખત એકના ડબલ કરી આપવાની લાલચ આપી લોકો પાસેથી લાખો રૂપિયાની છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ વખતે વલસાડ જિલ્લા પંચાયતના માજી સભ્ય અને એક વખત ધારાસભ્યની પણ ચૂંટણી લડી ચૂકેલા એવા એક આરોપી અને બિલ્ડર વિરૂધ્ધ રૂપિયા ૩૩.૬૦ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ દાખલ થતાં જ
 
વલસાડઃ૪૨ માસમાં રૂપિયા ડબલની લાલચે લાખોની ઠગાઇ કરી

વલસાડ,વલસાડ જિલ્લામાં ફરી એક વખત એકના ડબલ કરી આપવાની લાલચ આપી લોકો પાસેથી લાખો રૂપિયાની છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ વખતે વલસાડ જિલ્લા પંચાયતના માજી સભ્ય અને એક વખત ધારાસભ્યની પણ ચૂંટણી લડી ચૂકેલા એવા એક આરોપી અને બિલ્ડર વિરૂધ્ધ રૂપિયા ૩૩.૬૦ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ દાખલ થતાં જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે એસએમપીએલ કંપનીના સંચાલક એવા આરોપી બિલ્ડર વિનોદ પ્રજાપતિની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે. જાેકે, આ કંપનીનો માસ્ટરમાઈન્ડ એવો રાજકારણી ચેતન પટેલ હજુ સુધી પોલીસ પકડથી દૂર છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદ મુજબ, વલસાડ નગરપાલિકાના એક માજી કર્મચારી પરિમલ જેરોમએ વર્ષ ૨૦૧૧માં વલસાડ જિલ્લા પંચાયતના માજી સભ્ય અને લીલાપુરના બિલ્ડર વિનોદ પ્રજાપતિએ સ્થાપેલી એસએમપીએલ નામની એક રિયલ્ટી કંપનીમાં લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું. એસએમપીએલ કંપની દ્વારા રોકાણકારોને ૪૨ મહિનામાં એટલે કે માત્ર સાડા ૩ વર્ષમાં જ તેમના રોકેલા નાણા ડબલ પરત આપવામાં આવશે અને જાે નાણાં પરત આપવામાં ન આવે તો રોકાણકારોને જમીનના પ્લોટ આપવામાં આવશે. આવી લોભામણી લાલચ આપી અનેક લોકો પાસેથી લાખો રૂપિયા એકઠા કર્યા હતા. જાેકે, વર્ષ ૨૦૧૧માં સ્થપાયેલી આ કંપનીની શરૂઆતમાં જે લોકોએ નાણા રોક્યા હતા તે લોકોને વર્ષ ૨૦૧૫માં ડબલ વળતર આપવા સ્ટેમ્પ પેપર ઉપર લેખિતમાં નોટરી કરીને પણ ખાતરી આપી હતી. પરંતુ મુદત વિત્યાંને વર્ષો થયા બાદ પણ હજુ સુધી આ કંપની સંચાલકોએ રોકાણકારોને તેમણે આપેલા વચન પ્રમાણેેેે વળતર આપ્યું નથી. એકના ડબલની વાત તો દૂર રહી પરંતુ રોકાણકારોએ રોકેલા મૂળ રકમ પણ પરત આપવામાં નથી આવી. આથી વલસાડ નગરપાલિકાના એક પૂર્વ કર્મચારીએ પોતાની સાથેે આવી રીતે ઠગાઈ થઈ હોવાની, વલસાડ જિલ્લા પંચાયતના માજી સભ્ય અને વર્ષ ૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણી લડી ચૂકેલા એસએમપીએલ કંપનીના સંચાલક એવા ચેતન મંગુભાઇ પટેલ અને લીલાપોરના બિલ્ડર વિનોદ પ્રજાપતિ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ દાખલકરી છે.આમ વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ પ્રાથમિક તપાસમાં અત્યાર સુધી એસએમપીએલ નામની આ કંપનીના સંચાલકો એવા રાજકારણી ચેતન પટેલ અને બિલ્ડર વિનોદ પ્રજાપતિએ લોકો સાથે જ ૩૩.૬૦ લાખ રૂપિયાની ઠગાઇ કરી હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે.