ગંભીર@દાહોદ: કોરોના પોઝિટીવ થવાના ડરે યુવકે તળાવમાં ઝંપલાવ્યું, બે દિવસે લાશ મળી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે દાહોદ જીલ્લામાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજ્યમાં વધી રહેલાં કોરોના કહેરને લઇ પોતાને કોરોના થશે તેવા ડરને કારણે યુવકે આપઘાત કરી લીધો હતો. બે દિવસ અગાઉ યુવકે તળાવમાં આપઘાત કરી લીધા બાદ આજે તેની લાશ મળી આવી છે. આશાસ્પદ યુવકે આપઘાત કરી લેતાં પરિવારજનો ઘેરા શોકમાં
Apr 29, 2021, 12:25 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કોરોનાકાળ વચ્ચે દાહોદ જીલ્લામાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજ્યમાં વધી રહેલાં કોરોના કહેરને લઇ પોતાને કોરોના થશે તેવા ડરને કારણે યુવકે આપઘાત કરી લીધો હતો. બે દિવસ અગાઉ યુવકે તળાવમાં આપઘાત કરી લીધા બાદ આજે તેની લાશ મળી આવી છે. આશાસ્પદ યુવકે આપઘાત કરી લેતાં પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
દાહોદના દેવગઢબારીયાના યુવાને કોરોના પોઝિટિવ થવાના ડરે બે દિવસ અગાઉ તળાવમાં કૂદીને આપઘાત કરી લીધો હતો. ફાયર વિભાગને ઘટનાની જાણ થતા ફાયર વિભાગે મૃતદેહને શોધવાની કામગીરી હાથ ધરી હતી. બે દિવસની શોધખોળ બાદ આજે યુવાનનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો હતો.