ગાંધીનગર: મકાનના ખોદકામ વખતે બુદ્ધની મૂર્તિઓના અવશેષો મળ્યા

અટલ સમાચાર, ગાંધીનગર ગાંધીનગર તાલુકાના ગામે નવિન મકાનના ખોદકામ દરમ્યાન બુધ્ધ ભગવાનની મૂર્તિઓના વર્ષો જૂના અવશેષો મળી આવ્યા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકોના ટોળેટોળાં અવશેષો જોવા ઉમટી પડ્યા હતા. ત્રણ ફૂટ જેટલો પાયો ખોદતા સમય એકા-એક 25 જેટલી મૂર્તિઓ મળી આવતા કામને અટકાવી દીધું હતું. મૂર્તિઓ મળ્યા બાદ તે સ્થળે ખોદકામ કરતા નાના કુવા જેવું
 
ગાંધીનગર: મકાનના ખોદકામ વખતે બુદ્ધની મૂર્તિઓના અવશેષો મળ્યા

અટલ સમાચાર, ગાંધીનગર

ગાંધીનગર તાલુકાના ગામે નવિન મકાનના ખોદકામ દરમ્યાન બુધ્ધ ભગવાનની મૂર્તિઓના વર્ષો જૂના અવશેષો મળી આવ્યા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકોના ટોળેટોળાં અવશેષો જોવા ઉમટી પડ્યા હતા. ત્રણ ફૂટ જેટલો પાયો ખોદતા સમય એકા-એક 25 જેટલી મૂર્તિઓ મળી આવતા કામને અટકાવી દીધું હતું. મૂર્તિઓ મળ્યા બાદ તે સ્થળે ખોદકામ કરતા નાના કુવા જેવું મળી આવ્યો હતો. જેમાં અલગ-અલગ મૂર્તિઓે વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હાલતમાં જોવા મળી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગાંધીનગર તાલુકાના ચિલોડા દહેગામ રોડ ઉપર આવેલા ગોરધન રાજા સમયના મગુના શહેરથી ઓળખાતા મગોડી ગામમાંથી બુદ્ધ ભગવાનની મૂર્તિઓના વર્ષો જૂના અવશેષો મળી આવ્યા છે. નવા મકાનના પાયાનું ખોદકામ કરવામાં આવી રહ્યુ હતુ તે દરમિયાન ૨૫ કરતાં વધુ મૂર્તિઓ મળી આવી હતી. મગોડી બસ સ્ટેન્ડ પાસે આવેલા મોટા વાસમાં રહેતા પ્રહલાદજી ઠાકોર અને કાળાજી ઠાકોર પોતાનું 50 વર્ષ જૂનું મકાન તોડીને નવું બનાવી રહ્યા હતા. તે દરમિયાન મકાનનો પાયો ખોદતા સમય સમય જૈન સમાજના ભગવાનની મૂર્તિઓ મળી આવી હતી.

ગાંધીનગર: મકાનના ખોદકામ વખતે બુદ્ધની મૂર્તિઓના અવશેષો મળ્યા

સુત્રોએ જણાવ્યુ હતુ કે, મૂર્તિઓની સાથે એક સિંહાસન પણ મળી આવ્યુ છે. જેના ઉપર પૌરાણિક કાળની વાત વાળી કોતરણી જોવા મળી રહી છે. ખોદકામ દરમિયાન આ મૂર્તિઓને સુવ્યવસ્થિત રીતે બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ સ્થાનિક પુરાતત્વ વિભાગને જાણ પણ કરવામાં આવી છે.