ગુજરાતઃ પતિ-પત્નિ સહીત 4 બાળકોની ગળા કાપી ક્રુર હત્યાથી ચકચાર
અટલ સમાચાર, ડેસ્ક
દાહોદના સંજેલીમાં એક પરિવારના 6 લોકોની હત્યાથી ચકચાર મચી ગઈ છે. ચાર બાળકો સહિત પરિવારના છ એ છ સભ્યોને મોતને ઘાટ ઉતારી દેતા આખા પંથકમાં એરેરાટી ફેલાઈ ગઈ છે. હત્યારા એવા કેવા ઘાતકી હશે કે ચાર ચાર માસૂમ બાળકોને પણ પતાવી દીધા હશે? હત્યામાં એકથી વધુ માણસો હોવાનું મનાઈ રહ્યુ છે.
અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો
ગળા પર તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરાઈ છે. ચાર બાળકો અને દંપત્તિની એમ આખા પરિવારને કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. આદિવાસી પરિવારના 6 લોકોની થઈ હત્યાને પગલે દાહોદના સંજોલીમાં સન્નાટો છવાઈ ગયો હતો. દાહોદના સંજેલીના તરકડાના મહુડી વિસ્તારમાં આ ગોઝારી ઘટનાનો બનાવ બન્યો છે. પોલીસનો કાફલો ઘટના સ્થળ પર ઉતરી પડ્યો છે અને હાલ તો એ તપાસમાં લાગી ગયો છે કે આટલી ક્રૂરતા પૂર્વક આખા પરિવારને પતાવી દેનારા હત્યારા કે હત્યારો કોણ હશે?.
પરિવારના તમામ બાળકોને ગળા પર તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવી છે ત્યારે એમ થાય કે એવું તો શું હશે કે, અથવા હત્યારા એવા કેવા ઘાતકી હશે કે ચાર ચાર માસૂમ બાળકોને પણ પતાવી દીધા હશે? હત્યામાં એકથી વધુ માણસો હોવાનું મનાઈ રહ્યુ છે.