ગુજરાત: કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ કોરોના સાથે અનેક બિમારીઓને પછાડી

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીની તબિયતને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. કોરોનાને મહાત આપીને પણ છેલ્લા 2 મહિનાથી પણ વધુ સમયથી લડી રહેલા આ નેતાની તબિયતમાં હવે સુધારો આવ્યો છે. ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ બંનેના નેતાઓ કોરોનાનો શિકાર બની રહ્યા છે ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી પણ કોરોનાનો
 
ગુજરાત: કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ કોરોના સાથે અનેક બિમારીઓને પછાડી

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીની તબિયતને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. કોરોનાને મહાત આપીને પણ છેલ્લા 2 મહિનાથી પણ વધુ સમયથી લડી રહેલા આ નેતાની તબિયતમાં હવે સુધારો આવ્યો છે. ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ બંનેના નેતાઓ કોરોનાનો શિકાર બની રહ્યા છે ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી પણ કોરોનાનો શિકાર બન્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ કોરોનાને તો મહાત આપી દીધા બાદ પણ તેમની તબિયત રિકવર ન થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં જ રાખવા પડ્યા હતા. આ દરમ્યાન એક-બે વાર તેમની તબિયત લથડી પણ હતી. પરંતુ હવે સારા સમાચાર સામે આવ્યા છે કે તેમની તબિયત એકદમ સુધારા પર છે. છેલ્લા બે મહિનાથી તેઓ હોસ્પિટલમાં છે.

ગુજરાત: કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ કોરોના સાથે અનેક બિમારીઓને પછાડી
File Photo

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ 22 જૂને પોઝિટિવ આવ્યો હતો. રાજયસભાની ચૂંટણી બાદ કોરોના પોઝિટિવ આવતા ખાનગી હોસ્પિટલમાં ભરતસિંહ સોલંકી સારવાર લઈ રહ્યા હતા. કોરોના સાથે ફેફસાની બીમારી અને કિડનીમાં ઇન્ફેક્શનના કારણે લાંબો સમય હોસ્પિટલમાં રહેવું પડી રહ્યુ છે.