ગુજરાત: કોરોના વાયરસ પહોંચ્યો ત્રીજા સ્ટેજમાં, કાળજી રાખો ભય નહિ

અટલ સમાચાર,ગાંધીનગર કોરોના વાયરસ ગુજરાતમાં બીજુ સ્ટેજ પુરૂ કરીને ત્રીજા સ્ટેજમાં પ્રવેશી ચુક્યો હોવાની જાહેરાત મુખ્યમંત્રીએ વિધાનસભામાં કરી છે. ગઇકાલ સુધી ગુજરાતમાં કોરોનાના પોઝિટીવ કેસની સંખ્યા 18 હતી. જે આજે વધીને 30 કેસ થઇ જતાં એક દિવસમાં 12 કેસ વધ્યા હોવાનું સામે આવ્યુ છે. નોંધનિય છે કે, કોરોના ત્રીજા સ્ટેજમાં એટલે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં
 
ગુજરાત: કોરોના વાયરસ પહોંચ્યો ત્રીજા સ્ટેજમાં, કાળજી રાખો ભય નહિ

અટલ સમાચાર,ગાંધીનગર

કોરોના વાયરસ ગુજરાતમાં બીજુ સ્ટેજ પુરૂ કરીને ત્રીજા સ્ટેજમાં પ્રવેશી ચુક્યો હોવાની જાહેરાત મુખ્યમંત્રીએ વિધાનસભામાં કરી છે. ગઇકાલ સુધી ગુજરાતમાં કોરોનાના પોઝિટીવ કેસની સંખ્યા 18 હતી. જે આજે વધીને 30 કેસ થઇ જતાં એક દિવસમાં 12 કેસ વધ્યા હોવાનું સામે આવ્યુ છે. નોંધનિય છે કે, કોરોના ત્રીજા સ્ટેજમાં એટલે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ઝડપથી પ્રસરે છે. આ સાથે કોમ્યુનિટી સ્પ્રેડ થવાની શરૂઆત થતાં ખુબ ઘાતકી પરિસ્થિતિ ગણવામાં આવે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વિધાનસભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ હતુ કે, કોરોના વાયરસથી બચવાનો એક જ ઉપાય છે અને તે છે સોશિયલ ડિસ્ટરન્સ રાખવું. લોકો ઘરમાંથી બહાર ન નીકળે. 31 માર્ચ સુધી જો આપણે આ વસ્તુ જાણીશું તો ઓછામાં ઓછા લોકોને તેની અસર થશે. માણસ ન હોય તો આપણને મજા ન આવે તે પ્રકારનો આપણો સ્વભાવ છે. સતત લોકો એકબીજાના સંપર્કમાં આવતા હોય છે અને એટલે જ કોરોનાનો વ્યાપ વધવાની પૂરતી શક્યતા છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, કોરોના વાયરસના કેસ અમદાવાદ, વડોદરા અને સુરતમાં વધી રહ્યાં છે. એક એક માણસ કેટલા લોકોના સંપર્કમાં આવે તેનો હિસાબ મળતો નથી. રાજકોટમાં કેસ છે પણ એ વ્યક્તિ જેટલાને મળ્યાં એ બધાને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યાં છે. જો આપણા ત્યાં પોઝિટિવ કેસો એકદમ વધી જાય તો હોસ્પિટલો બેડ તમામ જરૂરિયાત વસ્તુની વ્યવસ્થા કરવા સરકારની તૈયારી છે. જોકે એનો વ્યાપ વધે નહીં એ માટે સાવચેતી રાખવી જરૂરી છે.