ગુજરાતઃ પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત નથી, હાઇકોર્ટ

અટલ સમાચાર, ડેસ્ક આધારકાર્ડ સાથે પાનકાર્ડ ન જોડાયેલું હોય તો પાનકાર્ડને નિષ્ક્રિય કરી શકાશે નહીં. આ ચુકાદો ગુજરાત હાઈકોર્ટે આપ્યો છે. ઘણી વખત આધારકાર્ડ અને પાનકાર્ડને લીંક કરવાની ડેડલાઇન વધારવાની ખબરો સામે આવતી હોય છે પરંતુ ગુજરાત હાઇકોર્ટે એક ચુકાદો આપીને આ વિષય પર દરેક શંકાઓને નાબૂદ કરી નાખી છે. ઇન્કમટેક્સની ધારા 139AA ના મુજબ
 
ગુજરાતઃ પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત નથી, હાઇકોર્ટ

અટલ સમાચાર, ડેસ્ક

આધારકાર્ડ સાથે પાનકાર્ડ ન જોડાયેલું હોય તો પાનકાર્ડને નિષ્ક્રિય કરી શકાશે નહીં. આ ચુકાદો ગુજરાત હાઈકોર્ટે આપ્યો છે. ઘણી વખત આધારકાર્ડ અને પાનકાર્ડને લીંક કરવાની ડેડલાઇન વધારવાની ખબરો સામે આવતી હોય છે પરંતુ ગુજરાત હાઇકોર્ટે એક ચુકાદો આપીને આ વિષય પર દરેક શંકાઓને નાબૂદ કરી નાખી છે. ઇન્કમટેક્સની ધારા 139AA ના મુજબ જે વ્યક્તિ પાસે પાનકાર્ડ છે તે આધાર કાર્ડ પ્રાપ્ત કરવા યોગ્ય છે. તેણે આ બંનેને લિંક કરવા જોઈએ અથવા તેનું પાનકાર્ડ નિષ્ક્રિય માનવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જ્યારે ગુજરાત હાઇકોર્ટ એ એક મામલામાં ચુકાદો આપતી વખતે કહ્યું છે કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ આધાર કાર્ડના લિન્કિંગ અંગે કોઈ ચુકાદો ન આપે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિનું પાનકાર્ડ નિષ્ક્રિય કરી શકાશે નહીં. ઉલ્લેખનીય છે કે, આધારકાર્ડની ગૂંચવણને કારણે આ મામલો સુપ્રીમ કોર્ટની એક મોટી પીઠ સમક્ષ વિચારાધીન છે.

કોર્ટે કહ્યું કે ઇન્કમટેક્સની ધારા 139AA ત્યાં સુધી માન્ય નથી, જ્યાં સુધી રોજર મેથ્યુ અને સાઉથ ઇન્ડિયન બેન્ક લિમિટેડના કેસનો ચુકાદો નથી આવી જતો. ન્યાયમૂર્તિ હર્ષાબહેન દેવાણીની અને સંગીતા કે વિશેની પીઠે ચુકાદો આપતા કહ્યું કે અમે એક વાત સ્પષ્ટ કરી દેવા માગીએ છીએ કે જ્યાં સુધી ઇન્કમટેક્સની ધારા 139AAની માન્યતાને લઈને સુપ્રીમ કોર્ટ તરફથી ફેસલો નથી આવતો ત્યાં સુધી અમે પાનકાર્ડને નિષ્ક્રિય કરવાનો નિર્ણય આપી શકીએ નહીં.