ગુજરાત: મહેસાણા-મોઢેરા અને ડીસા-લાખણી બાયપાસ રોડ ફોર-લેન બનાવાશે

અટલ સમાચાર,મહેસાણા નાયબ મુખ્યમંત્રી અને માર્ગ-મકાન મંત્રી નીતિન પટેલે જણાવ્યુ કે, રાજ્યની વિકાસયાર્ત્રામાં માર્ગ-મકાન વિભાગનો સિંહફાળો રહ્યો છે. ત્યારે આ વિકાસયાત્રાને વધુ વેગ મળે એ માટે નાગરિકોની જરૂરીયાતોને પ્રાધાન્ય આપીને રસ્તાઓ , પુલો અને આંતરમાળખાકીય સવલતોનું નિર્માણ કરાશે. વિધાનસભા ખાતે માર્ગ-મકાન વિભાગની રૂ.૧૦૦૫૮.૪૦ કરોડની અંદાજપત્રીય માંગણીઓ રજુ કરાઇ હતી. નીતિન પટેલે ઉમેર્યુ કે, રાજ્યમાં ગ્રામ્ય
 
ગુજરાત: મહેસાણા-મોઢેરા અને ડીસા-લાખણી બાયપાસ રોડ ફોર-લેન બનાવાશે

અટલ સમાચાર,મહેસાણા

નાયબ મુખ્યમંત્રી અને માર્ગ-મકાન મંત્રી નીતિન પટેલે જણાવ્યુ કે, રાજ્યની વિકાસયાર્ત્રામાં માર્ગ-મકાન વિભાગનો સિંહફાળો રહ્યો છે. ત્યારે આ વિકાસયાત્રાને વધુ વેગ મળે એ માટે નાગરિકોની જરૂરીયાતોને પ્રાધાન્ય આપીને રસ્તાઓ , પુલો અને આંતરમાળખાકીય સવલતોનું નિર્માણ કરાશે. વિધાનસભા ખાતે માર્ગ-મકાન વિભાગની રૂ.૧૦૦૫૮.૪૦ કરોડની અંદાજપત્રીય માંગણીઓ રજુ કરાઇ હતી.

ગુજરાત: મહેસાણા-મોઢેરા અને ડીસા-લાખણી બાયપાસ રોડ ફોર-લેન બનાવાશે
જાહેરાત

નીતિન પટેલે ઉમેર્યુ કે, રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારોને વધુ સમૃધ્ધ બનાવવા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના જાહેર કરી છે જે હેઠળ ૩૪૦૦૦ ગામો અને પરાઓને આવરી લેવાશે. આ યોજના હેઠળ ત્રણ વર્ષમાં રૂ.૧૦૨૪૩ કરોડ મંજૂર કરાયા છે આ માટે વર્ષ ૨૦૧૯-૨૦ માં રૂ.૨૫૬૯.૪૧ કરોડની જોગવાઇ પણ કરાઇ છે. આ યોજના હેઠળ રાજ્યમાં રૂ.૬૯૫૦ કરોડના ૧૯૬૩૦ કિ.મી. લંબાઇના ૭૩૧૬ રસ્તાના કામો પૂર્ણ કરાયા છે અને રૂ.૪૩૯૫ કરોડના ૧૦૨૫૫ કિ.મી. લંબાઇના ૩૯૦૮ રસ્તાના કામો પ્રગતિમાં છે.

ગુજરાત: મહેસાણા-મોઢેરા અને ડીસા-લાખણી બાયપાસ રોડ ફોર-લેન બનાવાશે
જાહેરાત

નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, પ્રતિ વર્ષ રસ્તાઓની સપાટી સુધારણ , મજબુતીકરણ અને પહોળા કરવાની કામગીરી રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવે છે. આ વર્ષે મહેસાણા-મોઢેરા રોડ , ડીસા-લાખણી રોડ, સાયલા-સુદામડા-પાળીયાદ રોડને રૂ.૨૪૦ કરોડના ખર્ચે ચારમાર્ગીય કરવાનું કામ પ્રગતિ હેઠળ છે. તે જ રીતે જનભાગીદારી થકી રૂ.૧૬૫૪ કરોડના ખર્ચે બગોદરા-તારાપુર-વાસદ માર્ગને છ માર્ગીય કરાશે. સાથે-સાથે આ વર્ષે ૮૦૮.૫૮ કિ.મી. લંબાઇના માર્ગોને રૂ.૧૨૬૧.૮૦ કરોડના ખર્ચે ૧૦ મીટર પહોલા કરવાના કામો પ્રગતિ હેઠળ છે.

ગુજરાત: મહેસાણા-મોઢેરા અને ડીસા-લાખણી બાયપાસ રોડ ફોર-લેન બનાવાશે
Advertisement

બીજા તબક્કામાં પણ ૨૬૭ પુલોનું નિર્માણ રૂ.૪૪.૪૭ કરોડના ખર્ચે હાથ ધરાશે. રાજ્યના વિવિધ જંકશનો ઉપર ફ્લાયઓવર બનાવવાના રૂ.૪૮૭ કરોડના ૯ કામો મંજૂર કરાયા છે. જેમાં રાજકોટ-જામનગર રોડ પર માધાપર જંકશન , મહેસાણા-પાલનપુર માર્ગ પર મોઢેરા જંકશન , સુરત-બારડોલી માર્ગ પર કડોદરા જંકશન અને ગાંધીનગર-કોબા માર્ગ પર રક્ષાશક્તિ સર્કલ પર ફ્લાયઓવર બનશે. એ જ રીતે રેલ્વે ક્રોસીંગ પર ટ્રાફીકના ભારણને ધ્યાને લઇને રેલ્વે ઓવરબ્રીજનું કામ ૫૦ % રેલ્વે વિભાગ અને ૫૦ % રાજ્ય સરકારના ખર્ચે હાથ ધરાશે. જેમાં રૂ.૩૪૦૦ કરોડના ખર્ચે ૬૮ રેલ્વે ઓવરબ્રીજ મંજૂર કરાયા છે. છેલ્લા પાંચ વર્ષમાં રૂ.૭૭૪ કરોડના ખર્ચે ૩૧ રેલ્વે ઓવરબ્રીજના કામો પણ પૂર્ણ કરાયા છે.

પટેલે ઉમેર્યુ કે , આ વર્ષે અંદાજપત્રમાં જે નવી બાબતોની જોગવાઇ કરાઇ છે તેમાં અમદાવાદ-શંખેશ્વર રસ્તા પર પગદંડીની સુવિધા માટે રૂ.૬.૭૦ કરોડ , ગાંધીનગર ખાતે સેક્ટરોમાં છ-ટાઇપના ૫૬૦ સરકારી આવાસોના ૨૦ ટાવર બનાવવા માટે રૂ.૧૩૧ કરોડ પૈકી રૂ. ૪૪ કરોડની જોગવાઇ , અમદાવાદ શહેર ખાતે રૂ.૧૩૫ કરોડના ખર્ચે નિર્માણ થનાર વિવિધ કક્ષાના આવાસો માટે રૂ. ૪૫ કરોડ તથા ગાંધીનગર શહેર ખાતે વિવિધ આવાસોના બાંધકામ માટે પણ રૂ. ૧૦૫ કરોડની જોગવાઇ કરાઇ છે.