ગુજરાતઃ વિદ્યાર્થીઓનો વિશ્વાસ ઉઠી ગયો પાંચ વર્ષમાં 28 પરીક્ષાઓ રદ્દ થઇ

અટલ સમાચાર, ડેસ્ક બિનસચિવાલય કલાર્કની પરીક્ષા રદ્દ થયા બાદ વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી એવી માંગ કરી છે કે, છેલ્લા પાંચ વર્ષમાં 28 સ્પર્ધાત્મક પરીક્ષા ગેરરીતી, કોર્ટ મેટર સહિતના મુદ્દે રદ્દ થઇ છે. ત્યારે આ બધાય મામલે સરકારે જવાબદારો વિરૂધ્ધ શું કાર્યવાહી કરી તે અંગે રાજ્ય સરકાર શિક્ષિત યુવાઓને જવાબ
 
ગુજરાતઃ વિદ્યાર્થીઓનો વિશ્વાસ ઉઠી ગયો પાંચ વર્ષમાં 28 પરીક્ષાઓ રદ્દ થઇ

અટલ સમાચાર, ડેસ્ક

બિનસચિવાલય કલાર્કની પરીક્ષા રદ્દ થયા બાદ વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી એવી માંગ કરી છે કે, છેલ્લા પાંચ વર્ષમાં 28 સ્પર્ધાત્મક પરીક્ષા ગેરરીતી, કોર્ટ મેટર સહિતના મુદ્દે રદ્દ થઇ છે. ત્યારે આ બધાય મામલે સરકારે જવાબદારો વિરૂધ્ધ શું કાર્યવાહી કરી તે અંગે રાજ્ય સરકાર શિક્ષિત યુવાઓને જવાબ આપે.

છેલ્લા પાંચેક વર્ષમાં રેવન્યૂ તલાટી, ચીફ ઓફિસર, મોટર વાહન નિરિક્ષક, વડોદરા મનપા કલાર્ક, ટાટ, લોકરક્ષક દળ, એએમસી કલાર્ક, ગ્રામ સેવક, એસટી કંડકટર સહિત અનેક પરીક્ષાઓ પેપર લીક થવું, ખોટી લાયકાત, ગેરરીતી સહિતના કારણોસર રદ્દ થઇ છે. તેવો ઉલ્લેખ કરતાં વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે, પરીક્ષાઓ રદ્દ થતા લાખો પરીક્ષાર્થીઓના નોકરી મેળવવાના અરમાનો પર પાણી ફરી વળ્યું છે. પરીક્ષાઓમાં ગેરરીતી થતાં મહેનતુ વિદ્યાર્થીઓને તક મળતી નથી. આ ઉપરાંત ભરતીઓ રદ થતાં બેરોજગારીનુ પ્રમાણ વધ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

ધાનાણીએ એવી માંગ કરી છે કે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ ફુલપ્રૂફ હોવી જોઇએ. આ ઉપરાંત ગેરરીતી આચરનારાં સામે કડક કાર્યવાહી કરવી જોઇએ. ભરતીઓમાં કૌભાંડ થતાં યુવાઓની ભરતી પ્રક્રિયા પરથી વિશ્વાસ ઉઠી ગયો છે ત્યારે છેલ્લા 15 વર્ષમાં થયેલી ભરતી પ્રક્રિયાની તપાસ હાઇકોર્ટની સિટીંગ જજ દ્વારા કરાવવી જોઇએ. સરકાર પણ આ બધીય ભરતીઓ રદ્દ થઇ છે ત્યારે જવાબદારો સામે શુ પગલાં લીધા તેનો જવાબ આપે.