ગુજરાતઃ કલાકાર પત્નીએ ભાઇને બોલાવી પતિને માર માર્યો, અંતે ફરિયાદ

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદમાં વૈષ્ણવદેવી પાસે રહેતા ઋષિકેષ વ્યાસ મિરઝાપુર કોર્ટમાં વકીલાત કરે છે. દોઢ વર્ષ પહેલા પ્રિયંકા નામની યુવતી સાથે તેમણે લગ્ન કર્યા હતા. પ્રિયંકા કલાકાર હોવાથી તેને અનેક શો હોવાથી તે સાસરે પતિ સાથે રહેવાની જગ્યાએ પિયરમાં જ રહેતી હતી. 26મીએ પ્રિયંકાને કોઇ શો ન હોવાથી ઋષિકેશભાઇ તેના ઘરે ગયા હતા. બાદમાં તેને
 
ગુજરાતઃ કલાકાર પત્નીએ ભાઇને બોલાવી પતિને માર માર્યો, અંતે ફરિયાદ

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદમાં વૈષ્ણવદેવી પાસે રહેતા ઋષિકેષ વ્યાસ મિરઝાપુર કોર્ટમાં વકીલાત કરે છે. દોઢ વર્ષ પહેલા પ્રિયંકા નામની યુવતી સાથે તેમણે લગ્ન કર્યા હતા. પ્રિયંકા કલાકાર હોવાથી તેને અનેક શો હોવાથી તે સાસરે પતિ સાથે રહેવાની જગ્યાએ પિયરમાં જ રહેતી હતી. 26મીએ પ્રિયંકાને કોઇ શો ન હોવાથી ઋષિકેશભાઇ તેના ઘરે ગયા હતા. બાદમાં તેને મળીને તેને સાસરે લઇ જવા માટે ગાડીમાં પ્રિયંકા સાથે નીકળ્યા હતા. બંને કારમાં હાટકેશ્વર બ્રીજ પાસે પહોંચ્યા ત્યારે પ્રિયંકાએ વાતચીત શરૂ કરી હતી અને કહ્યું કે આપણા બંનેના પરિવારજનો સમાધાન કરવાના હતા કેમ નથી સમાધન થતું. આટલું કહી પ્રિયંકાએ ઉંચા અવાજે વાત શરૂ કરતા ઋષિકેષભાઇએ તેને શાંતિથી વાત કરવાનું કહ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદમાં કલાકાર પત્નીએ અને તેના ભાઇ સાથે મળીને પોતાના પતિને જ માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે. બંને પરિવાર વચ્ચે કોઇ બાબતે સમાધાન કરવાનું હતું પણ પતિ તે સમાધાન ન કરાવી શક્યા બંને વચ્ચે ઝઘડો થયો હતો અને બાદમાં મારામારી થઇ હતી. આખરે પતિએ પત્ની અને સાળા સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ દરમિયાનમાં પ્રિયંકાએ તેના ભાઇ મિતને ફોન કરીને બોલાવી લીધો હતો. અને બંને ભાઇ બહેનોએ ઋષિકેષભાઇ સાથે મારામારી કરી હતી. આ આક્ષેપ સાથે ઋષિકેષભાઇએ ખોખરા પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી 323, 294બી, 114 મુજબ ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.