ગુજરાતઃ કારની અડફેટે મૉર્નિંગ વૉક કરી રહેલા 3 વ્યક્તિના મોત, ચાલક ફરાર

અટલ સમાચાર, ડેસ્ક પંચમહાલમાં આવેલા મોરવા અને ગોકળપુરાની વચ્ચે કારે રાહદારીઓને અડફેટે લેતા ત્રણનાં મોત નીપજ્યાં છે. આ ત્રણેય વૃદ્ધોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે. કાર ચાલક ઘટનાસ્થળે કાર મુકીને ફરાર થઇ ગયો છે. હાલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આજે વહેલી સવારે 3 મૃતકો મૉર્નિંગ વૉક કરવા નીકળ્યાં હતાં અને
 
ગુજરાતઃ કારની અડફેટે મૉર્નિંગ વૉક કરી રહેલા 3 વ્યક્તિના મોત, ચાલક ફરાર

અટલ સમાચાર, ડેસ્ક

પંચમહાલમાં આવેલા મોરવા અને ગોકળપુરાની વચ્ચે કારે રાહદારીઓને અડફેટે લેતા ત્રણનાં મોત નીપજ્યાં છે. આ ત્રણેય વૃદ્ધોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે. કાર ચાલક ઘટનાસ્થળે કાર મુકીને ફરાર થઇ ગયો છે. હાલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આજે વહેલી સવારે 3 મૃતકો મૉર્નિંગ વૉક કરવા નીકળ્યાં હતાં અને તમામ લોકો મોરવા રેણા ગામનાં રહેવાસી હતા. આ અકસ્માતમાં 62 વર્ષનાં ડૉ. સુરેશ એન. પટેલ, 60 વર્ષનાં પટેલ ગુણવંતભાઇ નાથાભાઇ અને 60 વર્ષનાં વાળંદ રણછોડભાઇ મગનભાઇનાં મોત નીપજ્યાં છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

કાર ચાલક અકસ્માત કરીને ત્યાંથી ફરાર થઇ ગયો છે. તેનાં જોકે, અકસ્માત સમયે આ કાર કોણ ચલાવી રહ્યું હતું તેની હાલ કોઇ માહિતી સામે આવી નથી. આ મામલે મૃતકોને શહેરા રેફરલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ વૃદ્ધોનાં આકસ્મિત મોતને કારણ પરિવારમાં શોક વ્યાપી ગયો છે. હાલ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.