હડકંપ@અમદાવાદઃ સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના 11 સંતોને કોરોના

અટલ સમાચાર, ડેસ્ક શહેરમાં કોરોનાની ઝડપ હવે ઘટી છે. આ સાથે જ મોતનો આંકડો પણ છેલ્લા અઠવાડિયાથી એક ડિજિટમાં આવી જતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. આ દરમિયાન અમદાવાદના સંતોના કોરોના થયો હોવાના સમાચાર સામે આવતા હાહાકાર મચી ગયો છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદના મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના 11 સંતોનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
 
હડકંપ@અમદાવાદઃ સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના 11 સંતોને કોરોના

અટલ સમાચાર, ડેસ્ક

શહેરમાં કોરોનાની ઝડપ હવે ઘટી છે. આ સાથે જ મોતનો આંકડો પણ છેલ્લા અઠવાડિયાથી એક ડિજિટમાં આવી જતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. આ દરમિયાન અમદાવાદના સંતોના કોરોના થયો હોવાના સમાચાર સામે આવતા હાહાકાર મચી ગયો છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદના મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના 11 સંતોનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે, આ મામલે મંદિર તરફથી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. બિનસત્તાવાર માહિતી પ્રમાણે મંદિરના 11 નહીં પરંતુ તેનાથી વધારે સંતોનો કોરોના થયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મળતી માહિતી પ્રમાણે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તમામ 11 સંતોને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત આ સંતોના સંપર્કમાં આવેલા મંદિરના અન્ય સંતોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. એટલું જ નહીં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મણિનગર સ્વામિનારાયણ મંદિરને સેનિટાઇઝ કરવામાં આવ્યું છે. જે બાદમાં મંદિરને બંધ કરી દેવામાં આવ્યું છે. મંદિરને ફરીથી ખોલવા માટે 15ની જુલાઇ બાદ કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે.