હાહાકાર@બોલીવૂડઃ દિગ્ગજ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે કરી આત્મહત્યા

અટલ સમાચાર, ડેસ્ક બોલિવૂડમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. બોલિવૂડના યુવા અને ફેમસ એક્ટર સુશાંતસિંહ રાજપૂતે સ્યૂસાઈડ કર્યું છે. સુશાંતસિંહ રાજપૂતે પોતાના મુંબઈના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે. તેમના નોકરે પોલીસને ફોન કરીને જાણ કરી હતી, જેથી મુંબઈ પોલીસ તાત્કાલિક પહોંચીને તપાસ હાથ ધરી છે. નાના પડદાથી બોલિવુડમાં એન્ટ્રી કરનાર સુશાંતસિંહ રાજપૂતે બોલિવૂડમાં અનેક
 
હાહાકાર@બોલીવૂડઃ દિગ્ગજ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે કરી આત્મહત્યા

અટલ સમાચાર, ડેસ્ક

બોલિવૂડમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. બોલિવૂડના યુવા અને ફેમસ એક્ટર સુશાંતસિંહ રાજપૂતે સ્યૂસાઈડ કર્યું છે. સુશાંતસિંહ રાજપૂતે પોતાના મુંબઈના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે. તેમના નોકરે પોલીસને ફોન કરીને જાણ કરી હતી, જેથી મુંબઈ પોલીસ તાત્કાલિક પહોંચીને તપાસ હાથ ધરી છે. નાના પડદાથી બોલિવુડમાં એન્ટ્રી કરનાર સુશાંતસિંહ રાજપૂતે બોલિવૂડમાં અનેક ટોચની ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓ પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની ફિલ્મ ‘ધોની ધ અનટોલ્ડ સ્ટોરી’ ફિલ્મથી ચમક્યા હતા. આ સિવાય તેઓએ કેદારનાથ, કાઈપો છે, રાબતા, સોનચિરય્યા, છિછોરે જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

હાહાકાર@બોલીવૂડઃ દિગ્ગજ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે કરી આત્મહત્યા
file photo

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ ઘટનાથી સમગ્ર બોલિવૂડ શોક્ડ થયું છે. કારણ કે, કોઈ સમજી શક્તુ નથી કે શા માટે યુવા એક્ટરે ફાંસી લગાવીને જીવન ટૂંકાવ્યું છે. તેમની આત્મહત્યાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. જોકે, મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે તેવુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

હાહાકાર@બોલીવૂડઃ દિગ્ગજ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે કરી આત્મહત્યા
file photo

હજી નવ મહિના પહેલા જ સુશાંતસિંહ રાજપૂતની છિછોરે નામની ફિલ્મ આવી હતી, જેમાં એક્ટર લીડ રોલમાં હતા. આ ફિલ્મમાં તેઓ પોતાના દીકરાને આત્મહત્યા ન કરવાનું સમજાવે છે. ત્યારે એક્ટર ખુદે પોતાના ફ્લેટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે. સુશાંતસિંહે બહુ જ ટૂંકા ગાળામાં બોલિવુડમાં એક પછી એક અનેક હીટ ફિલ્મો આપી હતી. એમએસ ધોની અને 2018માં આવેલી કેદારનાથ ફિલ્મમાં તેઓના અનેક વખાણ થયા હતા.

હાહાકાર@બોલીવૂડઃ દિગ્ગજ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે કરી આત્મહત્યા

સૂત્રોના જણાવ્યા અનુસાર, સુશાંત લાંબા સમયથી તણાવમાં હતા. તેઓ લાંબા સમયથી બોલિવુડની પાર્ટી અને મેન સ્ટ્રીમમાં ક્યાંય દેખાતા ન હતા. થોડા દિવસ પહેલા જ તેઓના એક્સ મેનેજરે પણ આત્મહત્યા કરી હતી. મોડી રાત્રે તેઓના મિત્રો પણ તેમની સાથે હતા. સવારે લાંબા સમય સુધી સુશાંતે પોતાના રૂમનો દરવાજો ન ખોલ્યો તો તેમના મિત્રોએ દરવાજો તોડ્યો હતો. જેથી અંદર સુશાંત ફાંસી લગાવેલી હાલતમાં મળી આવ્યા હતા.

હાહાકાર@બોલીવૂડઃ દિગ્ગજ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે કરી આત્મહત્યા