હાહાકાર@મોડાસા: ગંભીર ચિંતામાં પરિવારે કર્યો સામૂહીક આપઘાત, 2 ભૂલકાને પણ લટકાવ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા કોરોનાકાળ વચ્ચે મોડાસા તાલુકાના ગામે એક પરિવારે સામૂહિક આપઘાત કરી લેતાં પંથકમાં હાહાકાર મચી ગયો છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકો સહિત આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા. ગામની ભાગોળે પરિવારે ઝાડ પર દોરડા બાંધીને આપઘાત કરી લીધો હોવાની ઘટનાને લઇ પંથકમાં ચકચાર મચી ગઇ છે. આ તરફ સ્થાનિક
 
હાહાકાર@મોડાસા: ગંભીર ચિંતામાં પરિવારે કર્યો સામૂહીક આપઘાત, 2 ભૂલકાને પણ લટકાવ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા

કોરોનાકાળ વચ્ચે મોડાસા તાલુકાના ગામે એક પરિવારે સામૂહિક આપઘાત કરી લેતાં પંથકમાં હાહાકાર મચી ગયો છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકો સહિત આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા. ગામની ભાગોળે પરિવારે ઝાડ પર દોરડા બાંધીને આપઘાત કરી લીધો હોવાની ઘટનાને લઇ પંથકમાં ચકચાર મચી ગઇ છે. આ તરફ સ્થાનિક પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હાહાકાર@મોડાસા: ગંભીર ચિંતામાં પરિવારે કર્યો સામૂહીક આપઘાત, 2 ભૂલકાને પણ લટકાવ્યાં

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના ગાજણ ગામે એક પરિવારે સામૂહિક આપઘાત કરી લીધો છે. પ્રાથમિક તપાસમાં કાળુસિંહ પરમાર (ઠાકોર) અને જ્યોતિકાબેન પરમારે (ઠાકોર) દંપતિએ બાળકો સાથે આર્થિક સંકડામણને કારણે આ પગલું ભર્યુ હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. આજે બપોરના સમયે એક પરિવારના 4 સભ્યોએ ઝાડ પર દોરડા બાંધીને આપઘાત કરી લીધો હતો. ગળેફાંસો ખાઈ આપઘાત કરનારમાં બે માસૂમ બાળકો પણ સામેલ છે. સ્થાનિકોનું અનુમાન છે કે, દંપતિએ પહેલાં બે બાળકોને ફાંસો આપી પોતે પણ આપઘાત કરી લીધો હશે.

હાહાકાર@મોડાસા: ગંભીર ચિંતામાં પરિવારે કર્યો સામૂહીક આપઘાત, 2 ભૂલકાને પણ લટકાવ્યાં
જાહેરાત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગામના ભાગોળે બે બાળકો સાથે દંપતીએ ગળેફાંસો ખાધો હોવાની વાત વાયુવેગે પ્રસરી જતાં મોટી સંખ્યામાં લોકોના ટોળાં એકત્ર થઇ ગયા હતા. ઘટનાને લઇ મોડાસા ગ્રામ્ય પોલીસ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અંગે હોસ્પિટલ મોકલી આપ્યા છે. આ સાથે પોલીસે કયાં કારણોસર પરિવારે આત્મહત્યા કરી તે મામલે વધુ તપાસ હાથ ધરી છે.