હાહાકાર@સુરત: એક જ દિવસમાં અલગ-અલગ સ્થળે 10 આપઘાતની ઘટનાઓથી ચકચાર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કોરોનાકાળ વચ્ચે સુરતમાં એક જ દિવસમાં આપઘાતની 10 ઘટનાઓ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ડિપ્રેશન, એકલવાયું જીવન, બેરોજગારી સહિતના કારણોસરથી આ લોકોએ જીવન ટૂંકાવી હોવાની વિગતો સામે આવી છે. ડિંડોલીમાં બે વૃદ્ધોએ એકલતાના કારણે આપઘાત કર્યો છે. ડુમ્મસ, સચિન GIDC,પાંડેસરા અને ઉમરામાં 4 યુવાનોનો આપઘાત કર્યો છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
સુરતના મજૂરાગેટમાં ક્રિષ્નાશ્યામ કોમ્પેલક્ષમાં મિલ બંધ થતા ડિપ્રેશનમાં વૃદ્ધે આપઘાત કર્યો હતો. જ્યારે રાંદેર ટેકરા ફળીયામાં સગીરાને લગ્નમાં જવાની ના પાડતા દવા પીને મોતને વહાલુ કરી લીધુ હતુ. કોઝવે રોડ પર વિજય પેલેસમાં ટિફિન બનાવવા બાબતે ઝઘડો થતા યુવતીએ ગળેફાંસો ખાધો હતો. નવાગામ ડિંડોલીમાં પણ આપઘાતની એક ઘટના સામે આવી છે. આ સાથે સચિન GIDCમાં એક યુવકે આપઘાત કર્યો છે જેનું કારણ સામે નથી આવ્યુ.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, પાર્લેપોઈન્ટ પાસે ખાનસાહેબની વાડીમાં રહેતા યુવકનો ધંધો ન ચાલતા આપઘાત કર્યો હતો. અડાજણના આભવામાં યુવાને એક બિમારી પીડાઈને આત્મહત્યા કરી હતી. આ સાથે વેડરોડ પર એકલતાના કારણે એક આધેડે એસિડ પીને આત્મહત્યા કરી હતી. પાંડેસરામાં યુવકે પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. ડિંડોલીમાં જગદંબાનગરમાં શ્રીહરી સોસાયટીમાં અસ્થમાંથી કંટાળીને વૃદ્ધે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે.