આરોગ્યઃ મેથીના દાણા શરીરની અનેક મોટી બીમારીઓને કરે છે દૂર

અટલ સમાચાર, ડેસ્ક આપણે આપણા વડીલો પાસેથી ઘણીવાર સાંભળ્યું હશે કે, આપણું રસોડું આપણું ઐષધાલય છે. આપણા જમવામાં વપરાતા મસાલા જેમકે હળદર, જીરૂ, મરી, તજ, લવિંગ, મીઠું, રાઇ, અજમો આપણા શરીર માટે ઘણાં જ ફાયદાકારક હોય છે. તેવી જ રીતે વઘારમાં અને અનેક વાનગીની સોડમ સાથે સ્વાદ વધારતા મેથીનાં દાણા પણ આપણા સ્વાસ્થ્ય માટે ઘણાં
 
આરોગ્યઃ મેથીના દાણા શરીરની અનેક મોટી બીમારીઓને કરે છે દૂર

અટલ સમાચાર, ડેસ્ક

આપણે આપણા વડીલો પાસેથી ઘણીવાર સાંભળ્યું હશે કે, આપણું રસોડું આપણું ઐષધાલય છે. આપણા જમવામાં વપરાતા મસાલા જેમકે હળદર, જીરૂ, મરી, તજ, લવિંગ, મીઠું, રાઇ, અજમો આપણા શરીર માટે ઘણાં જ ફાયદાકારક હોય છે. તેવી જ રીતે વઘારમાં અને અનેક વાનગીની સોડમ સાથે સ્વાદ વધારતા મેથીનાં દાણા પણ આપણા સ્વાસ્થ્ય માટે ઘણાં જ જરૂરી છે. આયુર્વેદ પ્રમાણે મેથીના દાણા સ્વાદમાં કડવા, તીખા, ગરમ, પિત્તવર્ધક, ભૂખ લગાડનાર, પચવામાં હળવા, બળપ્રદ, હૃદય માટે હિતકારી અને મળને અટકાવનાર છે. તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્ર્ટ, ચરબી, જળ, લોહ, સોડિયમ, પોટેશિયમ, વિટામિન વગેરે તત્વો આવશ્યક માત્રામાં રહેલાં છે. તો આજે આપણે આ નાનકડા દાણાનાં મસમોટા ફાયદા જોઇએ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મેથીનાં દાણા ખાવાથી કે તેનો પાવડર પાણી સાથે ફાકી જવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. આ ઉપરાંત જે લોકોને વધારે ભૂખ લાગે છે તે લોકોએ વારંવાર મેથીના દાણા ખાય તો તે લોકોને ભૂખ લાગવાની સમસ્યા ઓછી થઇ જાય છે અને તેમા ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. જમને વાત અને કફની બીમારી છે તેઓએ ગરમીમાં પણ મેથી દાણા ખાય શકે છે, પરંતુ જેમને વાત કફની બીમારી નથી તેઓએ ગરમીમાં મેથીદાણા ન ખાવા. એક કપ ઉકળતા પાણીમાં મેથીના દાણા ઉમેરી લો. તેમા તજ અને પીસેલું આદું ઉમેરો. આ ચા પીવાથી બલ્ડપ્રેશર કંટ્રોલમાં રહે છે અને ખાવાનું સહેલાઇથી પચી જાય છે. મેથી વાયુને દૂર ભગાડે છે અને ભૂખ લગાડે છે, પાચનશક્તિ વધારે છે અને શરીરને પુષ્ટ કરે છે. ખીચડીમાં મેથી નાંખી શકાય, વઘારમાં એ વાપરી શકાય. મેથીનો સંભારો કરીને પણ રોજ લઈ શકાય. કોઈ પણ રીતે આહારમાં મેથીનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ.

 

મેથીના દાણા વાની બીમારીનો શ્રેષ્ઠ ઈલાજ છે. શરીરના તમામ પ્રકારના દુખાવામાં તે લાભ કરે છે. મેથીના દાણા પલાળીને ન ભાવતા હોય તો એક ચમચી મેથીનો પાવડર પણ પાણી સાથે લઈ શકો છો.મેથીને ઘીમાં સેકીને એનો લોટ બનાવવો. પછી એના લાડુ બનાવી રોજ એક લાડુ ખાવો. આઠ-દસ દિવસમાં જ વાયુને કારણે થતી હાથ-પગની પીડામાં લાભ થશે. અંકુરિત મેથીમાં વિટામીન અને મિનરલ્સ હોય છે તેને સવારે ખાલી પેટે ખાવાથી વજન ઓછું થાય છે. એક કપ ગ્રીન ટીમાં મધ અને લીંબુનો રસ મિક્સ કરો. તેમા ઉપરથી મેથીનો પાવડર ઉમેરી રોજ ભૂખ્યા પેટે પીવાથી સડસાડાટ તમારુ વજન ઘટવા લાગશે. વાયુને દૂર કરે છે.