આરોગ્યઃ બાળકોને કેસુડાંના ફૂલોથી સ્થાન કરાવાથી કયા કયા ફાયદાઓ થાય છે જાણો વધુ
અટલ સમાચાર, ડેસ્ક
ઘણા લોકોને કેસુડાના વૃક્ષ વિશે પૂછવામાં આવે તો ભાગ્યે જ કોઈને ખબર હશે. શહેરોમાં લગભગ કેસુડો જોવા મળતો નથી. ફાગણ મહિનો આવતાં જ કેસુડો સોળે કળાએ ખીલવા લાગ્યો છે. કેસુડો સોળે કળાએ ખીલતા આદિવાસી સમાજના લોકો હોળીની તૈયારીમાં લાગી જાય છે. આ કેસુડો શરીર માટે પણ ઉપયોગી હોવાનુ જાણવા મળ્યું છે.
કેસુડાંના ફૂલો ઉનાળાના દિવસોમાં તો જંગલ વિસ્તારોની શોભા વધારે છે પરંતુ આયુર્વેદની દ્રષ્ટિએ ગુણકારી ગણાતા કેસુડાંના ફૂલો પણ ઘણા આયુર્વેદિક સંશોધનો પણ થઈ ચૂક્યા છે. ચર્મરોગ તેમજ અતિસારના રોગીઓને તથા નાના બાળકોને ઉનાળાના દિવસોમાં સુકા કેસુડાંના ફૂલોથી સ્નાન કરાવવાથી લુ, શરદી અને તાવ જેવા રોગો સામે રક્ષણ પુરૂ પાડે છે. આમ, કેસુડો શરીર માટે પણ ગુણકારી હોવાનુ જાણવા મળ્યું છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
નવસારી જિલ્લાના ચીખલી, વાંસદા અને ખેરગામ તાલુકો આદિવાસી તાલુકા રહ્યા છે. આ વિસ્તારના આદિવાસીઓ માટે હોળીનું પર્વ એ દિવાળીના પર્વ કરતા પણ અનેકગણુ મહત્વ ધરાવે છે. આજના ગ્લોબલ વોર્મિંગના યુગમાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઉભી થઇ છે. અને કેમિકલયુક્ત રંગોના કારણે પાણીનો વ્યય પણ ખૂબ થઇ રહ્યો છે. ત્યારે કેસુડાં જેવા બહુગુણી ફૂલોના રંગો વડે જો ધૂળેટી મનાવવામાં આવે તો તહેવારોની મજા સાથે સ્વાસ્થ્યની પણ જાળવણી થઇ શકે છે. આમ, પણ કેસુડાના રંગબેરંગી ફૂલો વગર ધૂળેટી અધૂરી છે.