આરોગ્યઃ ઝેરી શાકભાજીનું મબલખ ઉત્પાદન, ભારતમાં અમદાવાદ 5મા ક્રમે

અટલ સમાચાર,ડેસ્ક ગંદા પાણીથી ખેતી કરતા દેશોમાં ભારતનો પ્રથમ પાંચમા સમાવેશ થયો છે. ભારત સહિતના પાંચ દેશો ગંદા પાણીથી ખેતી કરવામાં અગ્રીમ સ્થાને છે. ‘એન્વાયરમેન્ટ રિસર્ચ’ પત્રિકામાં આ સર્વે પ્રકાશિત થયો છે. ભારત ઉપરાંત ચીન, પાકિસ્તાન, મેક્સિકો અને ઈરાનો પ્રથમ પાંચ દેશોમાં સમાવેશ થયો છે. ગટરના ગંદા પાણીની દુર્ગંધથી માથુ ફાટી જાય તેવા પાણીથી અમદાવાદમાં
 
આરોગ્યઃ ઝેરી શાકભાજીનું મબલખ ઉત્પાદન, ભારતમાં અમદાવાદ 5મા ક્રમે

અટલ સમાચાર,ડેસ્ક

ગંદા પાણીથી ખેતી કરતા દેશોમાં ભારતનો પ્રથમ પાંચમા સમાવેશ થયો છે. ભારત સહિતના પાંચ દેશો ગંદા પાણીથી ખેતી કરવામાં અગ્રીમ સ્થાને છે. ‘એન્વાયરમેન્ટ રિસર્ચ’ પત્રિકામાં આ સર્વે પ્રકાશિત થયો છે. ભારત ઉપરાંત ચીન, પાકિસ્તાન, મેક્સિકો અને ઈરાનો પ્રથમ પાંચ દેશોમાં સમાવેશ થયો છે. આરોગ્યઃ ઝેરી શાકભાજીનું મબલખ ઉત્પાદન, ભારતમાં અમદાવાદ 5મા ક્રમે

ગટરના ગંદા પાણીની દુર્ગંધથી માથુ ફાટી જાય તેવા પાણીથી અમદાવાદમાં કેટલાક ખેડૂતો ખેતી કરી ઝેરી શાકભાજીનું મબલખ ઉત્પાદન કરી રહ્યા છે. અમદાવાદનાં છેવાડે આવેલા ત્રિકમપુરા પાટિયા પાસે બરોડા એક્સપ્રેસ વે પાસે ખારીકટ કેનાલનાં કેમિકલયુક્ત પાણીથી ખેતી કરવામાં આવી રહી છે. ગંદા પાણીથી ખેતી કરવાથી લાખો લોકોના આરોગ્ય પર ગંભીર ખતરો ઉત્પન્ન થાય છે.

અમદાવાદ શહેરમાં ગંદા પાણીથી થઈ રહેલી ખેતીનું પ્રમાણ વધતું જાય છે. ખેડૂતો ગટરના પાણીમાં પરવેલ, તુરીયા, ભીંડી, રીંગણા, ટામેટા, કાકરી જેવા શાકભાજીની ખેતી કરે છે. ગટરના પાણીને સ્વચ્છ કર્યા વગર જ તેનો સિંચાઈ માટે થઈ રહેલો ઉપયોગ ખતરારૃપ છે. ખેડૂતો કહે છે કે, ખેતી માટે પાણીની વ્યવસ્થા નથી એટલે ગંદા પાણીથી ખેતી કરવી પડે છે.

વધુ પાણીની જરૂર પડતી હોય તેવા શાકભાજી અને ફળો માટે પણ ગંદા પાણીથી સિંચાઈ થતી હોવાનું સામે આવ્યું છે. શાકભાજીનાં વિક્રેતાઓ પણ માને છે કે, ગંદા પાણીમાં પાકને પોષણ કરતા તત્વો વધારે હોવાની માન્યતાથી પ્રેરાઈને પણ ખેડૂતો ગંદા પાણીનો ઉપયોગ વધુ કરે છે. મોટાભાગે ખેડૂતોને ગંદા પાણીથી સિંચાઈ કરવાના કારણે નાગરીકોને ઝેર ભેંટમાં આપી રહ્યા છે.

ગટરના પાણીને પ્રાઇમરી ટ્રીટમેન્ટ કર્યા વગર વાપરવામાં આવે તો તેમાં રહેલા નુકશાનકારક બેક્ટેરિયા અને પોષકતત્વો ગટરમાંથી માઇગ્રેડ થાય અને તેના કારણે ગટરના પાણીથી ઉગારેલા શાકભાજી ખાવાથી આંતરડાના રોગો થઇ શકે છે. સ્માર્ટ સિટી અમદાવાદ મહાનગરમાં ચાલી રહેલા આ મોતનાં વેપાર પર નકેલ કસવાની જરૂર વર્તાઈ રહી છે.