આરોગ્યઃ કયા સમયે કેળા ખાવાથી શરીરમાં વજન ઘટાડી શકાય છે
અટલ સમાચાર,ડેસ્ક
કેળામાં પોટેશિયમ, ફાઇબર અને મેગ્નેશ્યિમ સિવાય ન્યૂટ્રિએન્ટ રહેલા હોય છે. જે તમારા શરીર અને સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. માનવામાં આવે છે કે કેળાથી તમારુ વજન વધે છે. પરંતુ તમને જણાવી દઇએ કે કેળા તમારું વજન ઘટાડી પણ શકે છે અને કેટલીક બીમારીઓને દૂર કરી શકે છે. પરંતુ કેળાને ક્યારેય પણ તમારે ખાલી પેટે ન ખાવા જોઇએ.
કેળામાં રહેલા પોટેશિયમ અને વિટામીન બી 6 તમને હૃદયથી જોડાયેલી બીમારીઓથી દૂર રાખે છે. સાથે જ તે તમને હાઇ બ્લડ પ્રેશરથી બચાવીને રાખે છે. જે લોકો નાસ્તામાં પોટેશિયમ વાળી વસ્તુઓ ખાય છે. તેમા હાર્ટ સ્ટ્રોક થવાના ચાન્સ ખૂબ ઓછા હોય છે.
જો તમને થાકની સમસ્યા હોય તો કે એનર્જીની ઉણપ થવા લાગે તો રોજ સવારે નાસ્તામાં જરૂરથી કેળા ખાઓ. તે લો ચરબી ફૂડ સહેલાઇથી પચી જાય છે. સાથે જ તે તમારા શરીરમાં ગ્લૂકોઝને સ્ટોરે કરી એનર્જી આપે છે.
કેળા તમને અલ્સરની સમસ્યાથી પણ બચાવીને રાખે છે. એવું એટલા માટે કારણકે તે શરીરમાં મ્યૂક્સના પ્રોડક્શનને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ એસિડ અને તમારા પેટની ત્વચાની વચ્ચે બેરિયર બનાવીને અનેક પ્રકારના નુકસાનથી બચાવે છે.