અસર@સુરેન્દ્રનગર: કોરોના સંક્રમણ રોકવા 2 મે સુધી સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉનને બહોળો પ્રતિસાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારો સહિત જીલ્લાના તમામ તાલુકાઓમાં કોરોના વાયરસનું સંક્રમણ ખુબ જ વધી ચુક્યું છે. કોરોના વાયરસનું સંક્રમણ રોકવા અને શહેરી વિસ્તારોમાં ખરીદીમાં વધુ ભીડ એકત્ર ન થાય તે માટે થોડા દિવસો પહેલા સુરેન્દ્રનગર પાલિકા કચેરી ખાતે ચીફ ઓફીસર, પાલિકા પ્રમુખ સહિત વિવિધ વેપારી એસોશીએસનના હોદ્દેદારો,
 
અસર@સુરેન્દ્રનગર: કોરોના સંક્રમણ રોકવા 2 મે સુધી સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉનને બહોળો પ્રતિસાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારો સહિત જીલ્લાના તમામ તાલુકાઓમાં કોરોના વાયરસનું સંક્રમણ ખુબ જ વધી ચુક્યું છે. કોરોના વાયરસનું સંક્રમણ રોકવા અને શહેરી વિસ્તારોમાં ખરીદીમાં વધુ ભીડ એકત્ર ન થાય તે માટે થોડા દિવસો પહેલા સુરેન્દ્રનગર પાલિકા કચેરી ખાતે ચીફ ઓફીસર, પાલિકા પ્રમુખ સહિત વિવિધ વેપારી એસોશીએસનના હોદ્દેદારો, આગેવાનો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતાં. સંક્રમણ રોકવા ચર્ચા વિચારણા હાથધરવામાં આવી હતી. જેમાં સર્વાનુમત્તે શહેરી વિસ્તારોમાં સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરેન્દ્રનગરમાં કોરોનાના વધતાં કેસોની વચ્ચે લેવાયેલા સ્વયંભૂ લોકડાઉનના નિર્ણયથી અમુક વેપારીઓ અને દુકાનદારો સ્વૈચ્છિક લોકડાઉન માટે સહમત નહોતા અને આ અંગે અસંજસ ચાલી રહી હતી. જોકે અંતે કોરોના વાયરસનું સંક્રમણ રોકવા સ્વૈચ્છિક લોકડાઉન જરૂરી હોવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આથી સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર અને વઢવાણ સહિતની શહેરી વિસ્તારોની તમામ દુકાનો ધંધો અને રોજગાર આજથી આગામી તા.02 મે સુધી સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉનને પગલે બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, જો કે આ પાંચ દિવસના સ્વૈચ્છિક લોકડાઉન દરમ્યાન દુધ, શાકભાજી અને દવા સહિતની ઈમરજન્સી સેવાઓ રાબેતા મુજબ શરૂ રહેશે આમ સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતાં આજથી પાંચ દિવસ માટે સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવાયો છે તેમજ આ પાંચ દિવસ દરમ્યાન જો કોઈ દુકાનદાર દુકાન ખુલ્લી રાખશે તો તેમની સામે દંડની કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું.