બનાવ@અમદાવાદ: પફ બનાવતાં કારખાનામાં ગેસ ગળતર, ગૂંગળામણને કારણે 3 યુવકના મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક અમદાવાદના ઘાટલોડિયામાં ગોપાલનગરમાં ગેસ ગળતર થતા 3 લોકોના મોત થયા છે. બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં ગોપાલનગરમાં UKS નામના પફ બનાવવાના કારખાનામાં મજૂરી કામ કરતા ત્રણ પરપ્રાંતિય મજૂરોના ગેસ ગળતરથી મોત થયા છે. બનાવની જાણ પોલીસ અને
 
બનાવ@અમદાવાદ: પફ બનાવતાં કારખાનામાં ગેસ ગળતર, ગૂંગળામણને કારણે 3 યુવકના મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદના ઘાટલોડિયામાં ગોપાલનગરમાં ગેસ ગળતર થતા 3 લોકોના મોત થયા છે. બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં ગોપાલનગરમાં UKS નામના પફ બનાવવાના કારખાનામાં મજૂરી કામ કરતા ત્રણ પરપ્રાંતિય મજૂરોના ગેસ ગળતરથી મોત થયા છે. બનાવની જાણ પોલીસ અને ફાયરબ્રિગેડને કરવામાં આવતા કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં કારખાનામાં ગૂંગળામણથી મોત થયુ હોવાનું જાણવા મળ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના ઘાટલોડિયામાં કે.કે. નગર રોડ પર ગોપાલનગર પાસે પફ બનાવવાના કારખાનામાં મોડી રાતે ત્રણ કારીગર કારખાનાનો દરવાજો બંધ કરી સૂઈ ગયા હતા. જોકે રાતે પફ બનાવવાના ઓવનની સ્વિચ ચાલુ રહી ગઈ હતી. આ તરફ જેથી ગૂંગળામણને કારણે હસન, ઈબ્રાહિમ તથા અસ્લમના મોત થયાં હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. ઘટનાની જાણ થતાં ઘાટલોડિયા પોલીસે ઘટનાસ્થળે પહોંચી એફએસએલની મદદ લઇ તપાસ શરૂ કરી છે.