ઘટના@બનાસકાંઠા: દિયોદરમાં યુવાને કર્યો આપઘાત, ધાનેરામાં કાર પલટી જતાં 2ને ઇજા

અટલ સમાચાર,દિયોદર,ધાનેરા (કિશોર નાયક, અંકુર ત્રિવેદી) કોરોના મહામારી વચ્ચે આજે બનાસકાંઠા જીલ્લાના ધાનેરામાં કાર પલટી મારી જતાં 2 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ તરફ દિયોદરમાં એક આશાસ્પદ યુવાને ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ છે. ધાનેરાની ઘટનામાં 2 લોકોને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ તરફ
 
ઘટના@બનાસકાંઠા: દિયોદરમાં યુવાને કર્યો આપઘાત, ધાનેરામાં કાર પલટી જતાં 2ને ઇજા

અટલ સમાચાર,દિયોદર,ધાનેરા (કિશોર નાયક, અંકુર ત્રિવેદી)

કોરોના મહામારી વચ્ચે આજે બનાસકાંઠા જીલ્લાના ધાનેરામાં કાર પલટી મારી જતાં 2 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ તરફ દિયોદરમાં એક આશાસ્પદ યુવાને ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ છે. ધાનેરાની ઘટનામાં 2 લોકોને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ તરફ દિયોદરના મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઘટના@બનાસકાંઠા: દિયોદરમાં યુવાને કર્યો આપઘાત, ધાનેરામાં કાર પલટી જતાં 2ને ઇજા
દીયોદરમાં યુવકનો આપઘાત

બનાસકાંઠા જીલ્લાના દિયોદરમાં એક આશાસ્પદ યુવકે ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. દિયોદર-ભાભર રેલ્વે લાઇનમાં આજે સવારે એક યુવકે અગમ્ય કારણોસર ઝંપલાવ્યુ હતુ. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ઉમટી પડ્યા હતા. આ તરફ મૃતકની લાશને રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી રેલ્વે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઘટના@બનાસકાંઠા: દિયોદરમાં યુવાને કર્યો આપઘાત, ધાનેરામાં કાર પલટી જતાં 2ને ઇજા
ધાનેરામાં કાર પલ્ટી

સૂત્રોએ જણાવ્યુ હતુ કે,ધાનેરાના બાપલાની વાછોલ રોડ પર નેનો કારના ચાલકે કાબૂ ગુમાવતાં કાર પલટી મારી ગઇ હતી. આ તરફ કાર ફંગોળાઇને નજીકના ખેતરમાં પડી હતી. અકસ્માતમાં ચાલક સહીત અન્ય એક વ્યક્તિ મળી કુલ 2 લોકો ઇજાગ્રસ્ત બનતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ તરફ ઘટનાની જાણ થતાં આસપાસના લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા.