ઘટના@બાયડ: અનુસુચિત સમાજની જાન પર પથ્થરમારો કરનાર 9 લોકો સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, બાયડ બાયડ તાલુકાના ગામે અનુસુચિત જાતિ સમાજની જાન પર પથ્થરમારો કરવાની ઘટનામાં 9 લોકો સામે ગુનો નોંધાયો છે. ગઇકાલે બપોરના સમયે ગામમાં અનુસુચિત જાતિના પરિવારની દીકરીના લગ્ન હોઇ ગામમાં જાન આવી હતી. આ દરમ્યાન ગામના કેટલાંક ઇસમોએ જાનના લોકોને જાતિ વિરૂધ્ધ અપમાનિત કરી પથ્થરમારો કર્યો હતો. જેમાં કેટલાંક લોકો ઇજાગ્રસ્ત બન્યાં
 
ઘટના@બાયડ: અનુસુચિત સમાજની જાન પર પથ્થરમારો કરનાર 9 લોકો સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, બાયડ

બાયડ તાલુકાના ગામે અનુસુચિત જાતિ સમાજની જાન પર પથ્થરમારો કરવાની ઘટનામાં 9 લોકો સામે ગુનો નોંધાયો છે. ગઇકાલે બપોરના સમયે ગામમાં અનુસુચિત જાતિના પરિવારની દીકરીના લગ્ન હોઇ ગામમાં જાન આવી હતી. આ દરમ્યાન ગામના કેટલાંક ઇસમોએ જાનના લોકોને જાતિ વિરૂધ્ધ અપમાનિત કરી પથ્થરમારો કર્યો હતો. જેમાં કેટલાંક લોકો ઇજાગ્રસ્ત બન્યાં હોવાના પણ સમાચાર સામે આવ્યા છે. આ સાથે ઇસમોએ તમારે ફેંટા બાંધવા નહીં, ગામમાં ડી.જે.સાઉન્ડ કે રાસગરબા રમવા નહીં તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઘટનાને લઇ આંબલિયારા પોલીસે 9 લોકોના નામજોગ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના લીંબ ગામે ગઇકાલે અનુસુચિત જાતિ સમાજની જાન પર પથ્થરમારાના ઘટના સામે આવી છે. ગઇકાલે ગામની અનુસુચિત જાતિ સમાજની દીકરીના લગ્ન હોઇ જાન આવી હતી. આ તરફ ગામના કેટલાંક માણસોએ જાન પર પથ્થરમારો કરતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટના બાદ ઇસમોએ જાનના માણસોને જાતિ વિષયક અપમાનિત કરી અને ફરીયાદીને ફેંટ પકડી ગડદાપાટુનો માર માર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો.

ઘટના@બાયડ: અનુસુચિત સમાજની જાન પર પથ્થરમારો કરનાર 9 લોકો સામે ગુનો દાખલ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, રાજ્યમાં વધુ એકવાર અનુસુચિત જાતિ સમાજની જાન પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. ગામમાં અનુસુચિત જાતિ સમાજની દીકરીની જાનમાં આવેલાં લોકો પર ગામના જ ઇસમોએ પથ્થરમારો કર્યો હતો. ઘટનાને લઇ મૂળ લીંબ ગામના અને હાલ અમદાવાદ રહેતાં હર્ષવર્ધન પરમારે 9 લોકો સામે આંબલિયારા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે. જેમાં ઇસમોએ લોકોને ગાળો બોલી માથે ફેંટા નહીં બાંધવા, ગામમાં ડી.જે. સાઉન્ડ સાથે રાસગરબા નહી રમવાનું કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

ઘટના@બાયડ: અનુસુચિત સમાજની જાન પર પથ્થરમારો કરનાર 9 લોકો સામે ગુનો દાખલ

ઘટનાને લઇ આંબલિયારા પોલીસે કુલ 9 લોકોના નામજોગ આઇપીસી 143, 147, 149, 323, 337, 504, 506(2) અને અનુસુચિત જાતિ અને અનુ.જન.જાતિ પ્રતિબંધ અધિનિયમની કલમ 3(1)(y), 3(1)(za), 3(1)(r), 3(1)(s), 3(2)(va) મુજબ ગુનો નોંધ્યો છે. જેમાં આરોપી તરીકે સંજયસિંહ બહેચરસિંહ ચૌહાણ, શૈલેષસિંહ દેવુસિંહ ચૌહાણ, હિતેશસિંહ બકુસિંહ દિલુસિંહ ચૌહાણ, પ્રવિણસિંહ ધુળસિંહ ચૌહાણ, સંજયસિંહ જીન્દુસિંહ ચૌહાણ, યુવરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણ, ઇન્દ્રરાજસિંહ બહેચરસિંહ ચૌહાણ, વિજયસિંહ ભારતસિંહ ચૌહાણ અને માનસિંહ અદેસિંહ ચૌહાણ (તમામ રહે.લીંબ, તા.બાયડ, જી.અરવલ્લી)નો સમાવેશ થાય છે.

ઘટના@બાયડ: અનુસુચિત સમાજની જાન પર પથ્થરમારો કરનાર 9 લોકો સામે ગુનો દાખલ
જાહેરાત