ઘટના@બેચરાજી: આખલો વચ્ચે આવતાં ઇજાગ્રસ્ત બાઇકચાલકનું સારવાર દરમ્યાન મોત

અટલ સમાચાર ડોટ કોમ, બેચરાજી બેચરાજીમાં ગત દિવસોએ આખલાને ટકરાતાં ઇજાગ્રસ્ત થયેલાં બાઇકસવારનું સારવાર દરમ્યાન મોત થયુ છે. ગત દિવસોએ નોકરીથી ઘરે જઇ રહેલાં બાઇકસવારે આખલો વચ્ચે આવતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જે બાદમાં તેની સારવાર બાદ ગઇકાલે સાંજે યુવકનું મોત થયુ છે. ઘટનાને લઇ મૃતકના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે.
 
ઘટના@બેચરાજી: આખલો વચ્ચે આવતાં ઇજાગ્રસ્ત બાઇકચાલકનું સારવાર દરમ્યાન મોત

અટલ સમાચાર ડોટ કોમ, બેચરાજી

બેચરાજીમાં ગત દિવસોએ આખલાને ટકરાતાં ઇજાગ્રસ્ત થયેલાં બાઇકસવારનું સારવાર દરમ્યાન મોત થયુ છે. ગત દિવસોએ નોકરીથી ઘરે જઇ રહેલાં બાઇકસવારે આખલો વચ્ચે આવતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જે બાદમાં તેની સારવાર બાદ ગઇકાલે સાંજે યુવકનું મોત થયુ છે. ઘટનાને લઇ મૃતકના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. આ તરફ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના બેચરાજીમાં આખલો વચ્ચે આવતાં ઇજાગ્રસ્ત બનેલા બાઇકચાલકનું મોત થયુ છે. બેચરાજીમાં ચચાભાઇની ઓરડીમાં રહેતાં સતીષભાઇ દેવીપુજક મારૂતિ કંપનીમાં નોકરી કરતો હતો. ગત તા.૧ર જાન્યુઆરીના રોજ સતીષ બાઇક પર નોકરીથી પરત બેચરાજી ઘરે આવતાં દરમ્યાન રોડ પર આખલો આવતાં બાઇક સ્લિપ ખાઇ ગયુ હતુ. જે બાદમાં સતીષનું સારવારને અંતે મોત થતાં બેચરાજી પોલીસે અકસ્માતે મોત મામલે આઇપીસી કલમ 279, 304A અને મોટર વાહન અધિનિયમ કલમ 177, 184 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે.