બનાવ@ભાવનગર: પતિ-પત્નીએ આપઘાત કર્યો, 3 બાળકો અનાથ બન્યા

અટલ સમાચાર, ડેસ્ક ભાવનગર જિલ્લાના સિહોરના આંબલા ગામે એક યુગલે આપઘાત કરી લીધો હોવાના સમાચારો સામે આવ્યા છે. મૃતક ભાવુબેન અને ચકુભાઈ વાઘેલાએ આજે ડુગરની ધાર પર જઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે. જોકે, આ કરૂણ ઘટનામાં નિર્દોશ સંતાનો નિરાધાર બન્યા છે. જિંદગી ટૂંકાવી લેનાર ચકુભાઈ જેલમાંથી પેરોલ પર બહાર આવ્યો હતો. તેને
 
બનાવ@ભાવનગર: પતિ-પત્નીએ આપઘાત કર્યો, 3 બાળકો અનાથ બન્યા

અટલ સમાચાર, ડેસ્ક

ભાવનગર જિલ્લાના સિહોરના આંબલા ગામે એક યુગલે આપઘાત કરી લીધો હોવાના સમાચારો સામે આવ્યા છે. મૃતક ભાવુબેન અને ચકુભાઈ વાઘેલાએ આજે ડુગરની ધાર પર જઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે. જોકે, આ કરૂણ ઘટનામાં નિર્દોશ સંતાનો નિરાધાર બન્યા છે. જિંદગી ટૂંકાવી લેનાર ચકુભાઈ જેલમાંથી પેરોલ પર બહાર આવ્યો હતો. તેને સંતાનાં બે દીકરા અને એક દીકરી છે. ચકુ વાઘેલા 303ના ગુનામાં રાજકોટમાં જેલવાસ ભોગવી રહ્યો હતો અને ગઈકાલે તેના પેરોલનો અંતિમ દિવસ હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ચકુ વાઘેલાએ પત્ની ભાવુબેન સાથે આપઘાત કરી લીધો હતો. તેમણે આંબલા ગામની ધારે આવેલા ડુંગરે જઈને આપઘાત કરી લીધો હતો. જોકે, આ તેમના આ પગલાના કારણે 3 સંતાનો નિરાધાર બની ગયા છે. ઘટનાની જાણ થતા પરિવારે પોલીસ અને એમ્બ્યુલન્સને બોલાવી હતી અને તેમના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા છે. જોકે, તપાસના અંતે તેમણે કોઈ અંતિમ ચિઠ્ઠી લખી છે કે નહીં તે જાણવા મળશે પરંતુ આ ઘટના કારણે સમગ્ર સિહોર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.