બનાવ@બોટાદઃ 2 યુવકો નશો કરી સળગતા ઈંટોના ભઠ્ઠામાં ઊંઘી ગયા, સવાર પડતા મોત
અટલ સમાચાર, ડેસ્ક
બોટાદ જિલ્લાના ગઢડામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં નશો કરનારા યુવકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ બનાવ એટલો ચકચારી છે કે ન સાંભળવામાં આવ્યો ન જોવામાં આવ્યો હોય. અહીંયા બે યુવકો ઈંટના સળગતા ભઠ્ઠા પરથી મૃતહાલતમાં મળી આવ્યા છે. જોકે, તેમને કોઈએ બળજબરીથી મોકલ્યા હોય તેવું પણ નથી તેઓ જાતે જ ભઠ્ઠા પર મોતને ભેટ્યા છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
ગઢડામમાં સામાકાઠા વિસ્તારમાં નિલકંઠ મહાદેવ સામે ઈંટોનો ભઠ્ઠો આવેલો છે. આ સળગતા ભઠ્ઠા પર બે યુવાનો મૃત હાલતમાં મળી આવ્યા છે. પોલીસને ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો આવી પહોંચ્યો હતો. ધૂમાડાના ગોટા વળતા હોય એવા ભઠ્ઠા પર આ યુવકો કેવી રીતે પહોંચ્યા તે જાણવાનો પોલીસે પ્રયાસ કર્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ બંને યુવકોએ રાત્રે નશો કર્યો હતો અને તેઓ ઈંટોના ભઠ્ઠા પર ઉંઘી ગયા હતા. દરમિયાન ઈંટોના ભઠ્ઠા પર ઉંઘી જવાથી તેમના મોત થઈ ગયા હોવાનું અનુમાન છે. પોલીસને ભઠ્ઠા પાસેથી દેશી દારૂની કોથળીઓ પણ મળી આવી છે જેના કારણે તેમને આ મોત શંકાસ્પદ હોવાનું લાગી રહ્યું છે. દરમિયાનમાં આ યુવકોનાં મોતના અહેવાલના પગલે પોલીસે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમમાં મોકલ્યા છે. જોકે, ભઠ્ઠામાં તપી જવાથી મોત થયા કે લઠ્ઠાથી મોત થયા તે પણ એક તપસાનો મોટો વિષય છે પરંતુ હાલ તો આ મામલાના કારણે ગઢડા વિસ્તારમાં ચકચાર મચી છે.