ઘટના@બાયડ: બેફામ કારચાલકે બાઇક સવાર યુવક અને વૃધ્ધ દંપતિને અડફેટે લેતાં 1નું મોત

અટલ સમાચાર ડોટ કોમ, બાયડ બાયડ તાલુકાના ગામે બેફામ બનેલા કારચાલકને બાઇકને ટક્કર મારતાં એક વૃધ્ધનું મોત થયુ છે. ગઇકાલે સાંજના સમયે ફરીયાદી પોતાના દાદા-દાદીને બાઇક પર બેસાડી ઘરે જઇ રહ્યાં હતા. આ દરમ્યાન પાછળથી આવતી કારે બાઇકને ટક્કર મારતાં ત્રણેય નીચે પડી ગયા હતા. જેમાં ફરીયાદીને માથાના ભાગે અને તેમના દાદા-દાદીને પણ ઇજાઓ પહોંચતાં
 
ઘટના@બાયડ: બેફામ કારચાલકે બાઇક સવાર યુવક અને વૃધ્ધ દંપતિને અડફેટે લેતાં 1નું મોત

અટલ સમાચાર ડોટ કોમ, બાયડ

બાયડ તાલુકાના ગામે બેફામ બનેલા કારચાલકને બાઇકને ટક્કર મારતાં એક વૃધ્ધનું મોત થયુ છે. ગઇકાલે સાંજના સમયે ફરીયાદી પોતાના દાદા-દાદીને બાઇક પર બેસાડી ઘરે જઇ રહ્યાં હતા. આ દરમ્યાન પાછળથી આવતી કારે બાઇકને ટક્કર મારતાં ત્રણેય નીચે પડી ગયા હતા. જેમાં ફરીયાદીને માથાના ભાગે અને તેમના દાદા-દાદીને પણ ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે ફરજ પરના તબીબે ફરીયાદીના દાદાને મૃત જાહેર કરતાં પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર થઇ જતાં આંબલિયારા પોલીસે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના વાંટાથી સરદારપુરા જવાના માર્ગે અકસ્માતની ઘટના સામે આવી છે. સરદારપુરાના પંકજકુમાર પરમાર તેમના દાદા-દાદીને લેવા વાંટા બસ સ્ટેન્ડ ગયા હતા. જે બાદમાં તેઓ બાઇક પર પોતાના દાદા-દાદીને બેસાડી સરદારપુરા આવવા નિકળ્યાં હતા. આ દરમ્યાન બાયડ તરફના રોડેથી એક સફેદ કલરની કાર પુરઝડપે આવતી હોઇ બાઇકને પાછળથી ટક્કર મારી હતી. જેમાં બાઇક પર બેસેલાં ત્રણેય ઇજાગ્રસ્ત બન્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અકસ્માતની જાણ થતાં તાત્કાલિક 108માં વાત્રક હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા હતા. જોકે ફરીયાદીના દાદા ફુલસિંહ મોહનસિંહ પરમારને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તબીબોએ ચેક કરી તેમને મૃત જાહેર કર્યા હતા. આ તરફ ફરીયાદી અને તેમના દાદીને સારવાર શરૂ કરવામાં આવી હતી. અકસ્માત સર્જીને અજાણ્યાં કારચાલક ફરાર થઇ ગયો હોઇ ફરીયાદીએ તેની સામે આંબલિયારા પોલીસે ગુનો દાખલ કરાવ્યો છે. પોલીસે કારચાલક સામે આઇપીસી કલમ 279, 337, 304A અને મોટર વાહન અધિનિયમ કલમ 177, 184, 134(b) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.