ઘટના@દાંતા: ત્રિશુળીયા ઘાટમાં અકસ્માતો યથાવત, ટ્રક પલટી મારી ગઇ
અટલ સમાચાર,દાંતા
કોરોના મહામારી વચ્ચે દાંતાથી અંબાજી રોડ ઉપર ત્રિશુળીયા ઘાટમાં અકસ્માતો યથાવત છે. આજે સવારના સમયે ત્રિશુળીયા ઘાટમાં એક ટ્રક પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. ઘટનાને લઇ વાહનચાલકોના ટોળાં એકઠા થઇ ગયા હતા. જોકે સદનસીબે કોઇ જાનહાનિ નહી સર્જાતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. નોંધનિય છે કે, છેલ્લા 35 દિવસમાં ત્રિશુલીયા ઘાટમાં 6 અકસ્માતસર્જાઇ ચુક્યા છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાના પવિત્ર યાત્રાધામ અંબાજી નજીક ત્રિશુળીયા ઘાટમાં એક ટ્રક પલટી મારી જવાની ઘટના સામે આવી છે. ઘટનાને લઇ ટ્રકના ટાયર નીકળી ગયા હોવાનું સામે આવ્યુ છે. જોકે સદનસીબે કોઇ જાનહાનિ નહી થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્રિશુળીયા ઘાટમાં હાલ કામ ચાલુ હોઇ અવાર-નવાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. અગાઉ 4 ટ્રક અને 1 કારના અકસ્માતની ઘટના સામે આવી ચુકી છે.