ઘટના@દિયોદર: બે દિવસથી ગુમ આશાસ્પદ યુવકની લાશ કેનાલમાંથી મળી, પરિજનો શોકમગ્ન

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર દિયોદર નજીકથી પસાર થતી લુન્દ્રા કેનાલમાંથી આજે વધુ એક યુવકની લાશ મળી આવી છે. આજે સવારે અચાનક કેનાલમાં લાશ જોઇ સ્થાનિકો સહિત આસપાસના લોકો દોડી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં મૃતક યુવક બે દિવસ પહેલાં ઘરેથી કામની શોધમાં નિકળ્યો હતો. જે બાદમાં આજે અચાનક યુવકની લાશ મળી આવતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા
 
ઘટના@દિયોદર: બે દિવસથી ગુમ આશાસ્પદ યુવકની લાશ કેનાલમાંથી મળી, પરિજનો શોકમગ્ન

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

દિયોદર નજીકથી પસાર થતી લુન્દ્રા કેનાલમાંથી આજે વધુ એક યુવકની લાશ મળી આવી છે. આજે સવારે અચાનક કેનાલમાં લાશ જોઇ સ્થાનિકો સહિત આસપાસના લોકો દોડી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં મૃતક યુવક બે દિવસ પહેલાં ઘરેથી કામની શોધમાં નિકળ્યો હતો. જે બાદમાં આજે અચાનક યુવકની લાશ મળી આવતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. ઘટનાને લઇ મૃતકના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. સમગ્ર મામલે દિયોદર પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી વધુ તપાસ શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના દિયોદરની લુન્દ્રા કેનાલમાંથી યુવકની લાશ મળી આવી છે. સ્થાનિક ચર્ચાઓ મુજબ મૃતક યુવક દિયોદરની બંસીધર સોસાયટીમાં રહેતો 18 વર્ષીય પ્રતાપ ભગવાનભાઈ ચાવડા હોવાનું સામે આવ્યુ છે. જોકે હજી સુધી યુવકના નામને લઇને કોઇ સત્તાવાર વિગતો સામે આવી નથી. આ યુવક બે દિવસ અગાઉ કામની શોધમાં નિકળ્યો હતો. જે બાદમાં પરત નહીં ફરતાં શોધખોળને અંતે પરિવારે પોલીસમાં જાણવાજોગ આપી હોવાનું પણ ચર્ચાઇ રહ્યુ છે. હાલ તો પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી આ મામલે તપાસ તેજ કરી છે.