ઘટના@દિયોદર: કોથળામાં બાંધેલી હાલતમાં ગુમ મહિલાની લાશ કેનાલમાંથી મળતાં ચકચાર

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર દિયોદર તાલુકાના ગામે આજે બપોરના સમયે કેનાલમાંથી એક મહિલાની લાશ મળી આવી છે. મહિલાની લાશ એક કોથળામાં બાંધેલી હાલતમાં હોઇ પંથકમાં ચકચાર મચી ગઇ છે. ઘટના બાદ દિયોદર પોલીસ અને ડીવાયએસપી સહિતનો સ્ટાફ તાત્કાલિક દોડી આવ્યો છે. આ સાથે કેનાલમાંથી મહીલાની લાશ મળી હોવાની વાત વાયુવેગે પંથકમાં પ્રસરી જતાં લોકોના
 
ઘટના@દિયોદર: કોથળામાં બાંધેલી હાલતમાં ગુમ મહિલાની લાશ કેનાલમાંથી મળતાં ચકચાર

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

દિયોદર તાલુકાના ગામે આજે બપોરના સમયે કેનાલમાંથી એક મહિલાની લાશ મળી આવી છે. મહિલાની લાશ એક કોથળામાં બાંધેલી હાલતમાં હોઇ પંથકમાં ચકચાર મચી ગઇ છે. ઘટના બાદ દિયોદર પોલીસ અને ડીવાયએસપી સહિતનો સ્ટાફ તાત્કાલિક દોડી આવ્યો છે. આ સાથે કેનાલમાંથી મહીલાની લાશ મળી હોવાની વાત વાયુવેગે પંથકમાં પ્રસરી જતાં લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. પ્રાથમિક તપાસમાં મૃતક મહિલા કાંકરેજ પંથકની હોવાનું સામે આવ્યા બાદ પોલીસે તેમની લાશ પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકાના ગોદા ગામ નજીકથી પસાર થતી કેનાલમાંથી મહિલાની કોથળામાં બાંધેલી હાલતમાં લાશ મળી આવી છે. આજે સવારે કેનાલમાંથી કોથળામાં બાંધેલી હાલતમાં મહિલાની લાશ મળતાં સ્થાનિકો સહિત લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. જે બાદમાં તેરવાડાના એક પરિવારે મહિલાની લાશને ઓળખી બતાવતાં રોકકકળ કરી મુકી હતી. ઘટનાને લઇ ડીવાયએસપી સહિત પોલીસનો કાફડો દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મહિલાના છેલ્લા 10 દિવસથી ગુમ હોવાનું સામે આવ્યુ છે.

ઘટના@દિયોદર: કોથળામાં બાંધેલી હાલતમાં ગુમ મહિલાની લાશ કેનાલમાંથી મળતાં ચકચાર

સૂત્રોએ જણાવ્યું હતુ કે, બનાસકાંઠામાં નર્મદાની કેનાલમાંથી લાશો મળવાનો સિલસિલો યથાવત હોય તેમ આજે પણ એક લાશ મળી આવી છે. કાંકરેજ તાલુકાના ડુંગરાસણ ગામે પરણાવેલી મહિલા છેલ્લાં 10 દિવસથી ગુમ હતી. આ તરફ આજે સવારે કોથળામાં બાંધેલી હાલતમાં તેની લાશ મળી આવતાં અનેક સવાલો ઉભા થયા છે. ઘટના બાદ પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી વધુ તપાસ શરૂ કરી છે. ઘટનાને લઇ મૃતક મહિલાના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે.