બનાવ@ગીર સોમનાથઃ ખુંખાર દીપડાએ 30 વર્ષના યુવાનને ફાડી ખાધો, પરિવારમાં માતમ

અટલ સમાચાર, ડેસ્ક ગીર સોમનાથના કોડીનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામના ખેડૂત પુત્ર અજિત ભેડા નામનો યુવાન વહેલી સવારે પોતાની વાડીએ રાખેલા દુધાળા પશુઓને દોહવા જતા સમયે અચાનક ખુંખાર માનવ ભક્ષી દીપડાએ હુમલો કર્યો હતો. અંદાજે 30 વર્ષના આ યુવાને દીપડા સાથે બાથ ભીડવાનો પ્રયત્ન કર્યો હશે પરંતુ છેલ્લા ઘણા સમયથી દીપડાઓ આટલા બધા ખુંખાર થયા છે
 
બનાવ@ગીર સોમનાથઃ ખુંખાર દીપડાએ 30 વર્ષના યુવાનને ફાડી ખાધો, પરિવારમાં માતમ

અટલ સમાચાર, ડેસ્ક

ગીર સોમનાથના કોડીનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામના ખેડૂત પુત્ર અજિત ભેડા નામનો યુવાન વહેલી સવારે પોતાની વાડીએ રાખેલા દુધાળા પશુઓને દોહવા જતા સમયે અચાનક ખુંખાર માનવ ભક્ષી દીપડાએ હુમલો કર્યો હતો. અંદાજે 30 વર્ષના આ યુવાને દીપડા સાથે બાથ ભીડવાનો પ્રયત્ન કર્યો હશે પરંતુ છેલ્લા ઘણા સમયથી દીપડાઓ આટલા બધા ખુંખાર થયા છે કે, જાણે વન વિભાગ પણ તેની સામે લાચાર હોય તેવું લાગી રહ્યું. એટલેજ આજે વિઠ્ઠલપુર ગામના આ યુવાનને દીપડાએ ફાડી ખાધો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ હુમલામાં યુવાનના માથાનો મોટાભાગનો ભાગ દીપડો ખાઇ ગયો છે. જોકે, ત્યારબાદ આસપાસના લોકોને ધ્યાને આવતા હાકલ બાદ દીપડો યુવાનને મૂકી નાસી ગયો હતો. આ બાદ સ્થાનિકો દ્વારા વનવિભાગને જાણ કરાઇ અને વનવિભાગે ઘટના સ્થળે પહોંચી પંચરોજ કામ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ મહત્વની બાબત એ છે કે, ગીર અને ગુજરાતમાં છેલ્લામાં ઘણા સમયથી દીપડાઓના હુમલાઓ વધી રહ્યા છે. સમય જતાં આ હુમલાઓ એક ચિંતાનો વિષય બને તો નવાઈ નહિ. કેમ કે, દીપડાઓની સંખ્યામાં પણ દિનપ્રતિદિન એટલો જ વધારો થઈ રહ્યો છે.

દીપડાનું મૃત્યુ નિપજવાના ગુનામાં કલમ 2 મુજબ 1 થી 6 વર્ષની જેલ તેમજ 5 હજારથી ઓછા નહિ અને 10 હજાર સુધી સજાની જોગવાઈ છે. જોકે વ્યક્તિ પોતાના સ્વબચાવ કે અન્યને બચાવવાના બનાવમાં કલમ 11- ખ/2 મુજબ ગુનો બનતો નથી. પરંતુ મનુષ્યને આત્મ રક્ષણ માટે સરકારે કોઈ વધુ જોગવાઈ કરવી જોઈએ. નહિ તો આ રીતે દીપડાના હુમલાથી અનેક ખેડૂતો અને મજૂરોના પરિવાર નિરાધાર થશે.