ઘટના@ખેરાલુ: માઇનોર કેનાલમાંથી અજાણ્યાં યુવકની લાશ મળી, હત્યા કે આત્મહત્યા ?
અટલ સમાચાર, ખેરાલુ
ખેરાલુ તાલુકાના ગામે માઇનોર કેનાલમાંથી એક અજાણ્યાં યુવકની લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. આજે સવારે માઇનોર કેનાલમાં યુવકની લાશ મળી હોવાની વાતને લઇ લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યાં હતા. યુવકને માથાના ભાગે કોઇ હથિયારથી ઘા માર્યો હોવાનું પંથકમાં ચર્ચાઇ રહ્યું છે. આ તરફ ઘટનાને લઇ પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપવા કવાયત હાથ ધરી છે. આ સાથે યુવકની હત્યા કરાઇ કે આત્મહત્યા તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
મહેસાણા જીલ્લાના ખેરાલુ તાલુકાના જુના નોરતોલ ગામે કેનાલમાંથી યુવકની લાશ મળી હોવાની ઘટના સામે આવી છે. આજે સવારે ગામની માઇનોર કેનાલમાંથી એક અજાણ્યાં યુવકની લાશ મળી આવતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. આ સાથે મૃતકની લાશ ઉપર 100ની નોટ પણ મળી આવી છે. ખેરાલુ પોલીસે અજાણ્યાં યુવકના મોતનું કારણ જાણવાં અને હત્યા કે આત્મહત્યા તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. આ તરફ ગામની કેનાલમાંથી લાશ મળી હોવાના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યાં હતા.