ઘટના@મહેસાણા: સાસરીયાઓના ત્રાસથી પરીણિતાએ ફીનાઇલ ગટગટાવ્યું, 3 સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા કોરોનાકાળ વચ્ચે મહેસાણા શહેરમાં સાસરીયાઓના ત્રાસથી પરીણિતાએ ફીનાઇલ પી ને આપઘાતની કોશિષ કરી હોવાની ઘટના સામે આવી છે. અગાઉ આરોપી યુવક સાથે લગ્ન થયા બાદ પરીણિતાને સંતાનમાં એક બાળકીનો જન્મ થયો હતો. જે બાદમાં તેના પતિ અને સાસરીયાંઓના વર્તનમાં બદલાવ આવ્યો હોઇ કોઇને કોઇ વાતે હેરાન-પરેશાન કરતાં હતા. જેને લઇ
 
ઘટના@મહેસાણા: સાસરીયાઓના ત્રાસથી પરીણિતાએ ફીનાઇલ ગટગટાવ્યું, 3 સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

કોરોનાકાળ વચ્ચે મહેસાણા શહેરમાં સાસરીયાઓના ત્રાસથી પરીણિતાએ ફીનાઇલ પી ને આપઘાતની કોશિષ કરી હોવાની ઘટના સામે આવી છે. અગાઉ આરોપી યુવક સાથે લગ્ન થયા બાદ પરીણિતાને સંતાનમાં એક બાળકીનો જન્મ થયો હતો. જે બાદમાં તેના પતિ અને સાસરીયાંઓના વર્તનમાં બદલાવ આવ્યો હોઇ કોઇને કોઇ વાતે હેરાન-પરેશાન કરતાં હતા. જેને લઇ પરીણિતાએ કંટાળી જઇ બાથરૂમમાંથી જઇ ફીનાઇલ પી લેતાં ચકચાર મચી ગઇ છે. આ તરફ ઘટનાને લઇ 3 લોકોના નામજોગ મહેસાણા એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા શહેરના ઉંચા ભાટવાડામાં રહેતી એક પરીણિતાએ સાસરીયાના ત્રાસથી ફીનાઇલ પી લીધુ હતુ. ઉંચા ભાટવાડાના બારોટ કરણકુમાર, નરેન્દ્રભાઇ અને દક્ષાબેનના ત્રાસથી પરીણિતાને ફીનાઇલ પી આપઘાત કરી લેવાની કોશિષ કરી હોવાનું સામે આવ્યુ છે. સાસરીયાઓ નાની-નાની બાબતોમાં મારઝુડ કરી શારીરિક-માનસિક ત્રાસ આપી કાલે સવારે કહેલ કે, આ ઘરમાં તારી જરૂર નથી. જેગી પરીણિતાને લાગી આવતાં બાથરૂમમાં જઇ ફીનાઇલ પી લીધુ હતુ. ઘટના બાદ પોલીસે આરોપીઓ સામે આઇપીસી કલમ-498(A), 323, 504, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

  1. બારોટ કરણકુમાર નરેન્દ્રભાઇ
  2. બારોટ નરેન્દ્રભાઇ ડાહ્યાલાલ
  3. બારોટ દક્ષાબેન નરેન્દ્રભાઇ, તમામ રહે. મહેસાણા, ઉંચોભાટવાળો જૈન દેરાસરની સામે, તા.જી.મહેસાણા