ઘટના@નવસારી: સ્યુસાઇડ નોટ લખી નર્સે આત્મહત્યા કરી લેતાં ચકચાર, પરિવાર શોકમગ્ન

અટલ સમાચાર, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે વિજલપોરમાં રહેતી અને નવસારી સિવિલમાં નર્સ તરીકે ફરજ બજાવતી 28 વર્ષીય યુવતિએ આજે વહેલી સવારે આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઇ છે. આજે સવારના સમયે કોઇ કારણસર યુવતિએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આ તરફ ઘટનાની જાણ થતાં પરિવારજનો સહિત સ્થાનિકોના ટોળાં એકત્ર થયા હતા. આ તરફ પ્રાથમિક તપાસમાં
 
ઘટના@નવસારી: સ્યુસાઇડ નોટ લખી નર્સે આત્મહત્યા કરી લેતાં ચકચાર, પરિવાર શોકમગ્ન

અટલ સમાચાર, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે વિજલપોરમાં રહેતી અને નવસારી સિવિલમાં નર્સ તરીકે ફરજ બજાવતી 28 વર્ષીય યુવતિએ આજે વહેલી સવારે આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઇ છે. આજે સવારના સમયે કોઇ કારણસર યુવતિએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આ તરફ ઘટનાની જાણ થતાં પરિવારજનો સહિત સ્થાનિકોના ટોળાં એકત્ર થયા હતા. આ તરફ પ્રાથમિક તપાસમાં યુવતિએ ડિપ્રેશનમાં આવી આપધાત કર્યો હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે. યુવતિના આપઘાતને લઇ પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નવસારી સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી 28 વર્ષીય મેઘા વિજલપોરમાં જલારામ સોસાયટીમાં રહે છે. આજે સવારના સમયે મેઘાએ ઘરે ગળે ફાંસો ખાઇને જીવન ટૂંકાવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. પોલીસને યુવતીના આપઘાત પહેલા લખેલી સ્યુસાઇડ નોટ હાથ લાગી છે. સ્યુસાઇડ નોટમાં મેટર્ન તારા અને સિવિલ સર્જન દુબેના નામ હોવાનો પરિવારે ઘટસ્ફોટ કર્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, 28 વર્ષીય મેઘાએ આજે વહેલી સવારે આપઘાત કરી લીધો છે. મેઘાએ ડિપ્રેશનમાં આત્મહત્યા કર્યાનું બહાર આવ્યું છે. સિવિલ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો પરિવારનો આક્ષેપ છે. સ્થાનિક પોલીસે યુવતિના મૃતદેહને નવસારી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો છે. પોલીસ તપાસ પછી આપઘાતનું સાચું કારણ સામે આવી શકે છે.