ઘટના@પાટણ: ગામમાં અવાવરૂ જગ્યાએ મળી યુવકની લાશ, હત્યા કે આત્મહત્યા ?

અટલ સમાચાર, પાટણ દિવાળીના તહેવારો વચ્ચે આજે પાટણ તાલુકાના ગામે અવાવરૂ જગ્યા પરથી આશાસ્પદ યુવકની મળી આવતાં ચકચાર મચી ગઇ છે. ગામની અવાવરૂ જગ્યાએથી યુવકની લાશ મળી હોવાની વાત વાયુવેગે પંથકમાં ફેલાઇ જતાં લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. ઘટનાને લઇ સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી યુવકની હત્યા કે આત્મહત્યા તે વિશે વધુ તપાસ હાથ ધરી છે.
 
ઘટના@પાટણ: ગામમાં અવાવરૂ જગ્યાએ મળી યુવકની લાશ, હત્યા કે આત્મહત્યા ?

અટલ સમાચાર, પાટણ

દિવાળીના તહેવારો વચ્ચે આજે પાટણ તાલુકાના ગામે અવાવરૂ જગ્યા પરથી આશાસ્પદ યુવકની મળી આવતાં ચકચાર મચી ગઇ છે. ગામની અવાવરૂ જગ્યાએથી યુવકની લાશ મળી હોવાની વાત વાયુવેગે પંથકમાં ફેલાઇ જતાં લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. ઘટનાને લઇ સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી યુવકની હત્યા કે આત્મહત્યા તે વિશે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ તાલુકાના બાલીસણા ગામે આજે યુવકની લાશ મળી આવતાં હડકંપ મચી ગયો છે. ગામના ટીંડેશ્વર મહાદેવ મંદીર પાસેની અવાવરૂ જગ્યાએથી આ યુવકની લાશ મળી આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. આ તરફ લોહીલુહાણ હાલતમાં યુવકની લાશ મળી હોવાથી પંથકમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યુ છે. જોકે ઘટનાની જાણ થતાં બાલીસણા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે.

ઘટના@પાટણ: ગામમાં અવાવરૂ જગ્યાએ મળી યુવકની લાશ, હત્યા કે આત્મહત્યા ?

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આજે સવારે મળેલ લાશની હજી સુધી ઓળખ થઇ શકી નથી. આ તરફ યુવક લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હોઇ પંથકમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. ઘટનાને લઇ પોલીસે આ યુવક કોણ છે અને તેણે આત્મહત્યા કરી કે પછી હત્યા કરવામાં આવી ? તે સહિતના સવાલોના જવાબ શોધવા તપાસ તેજ કરી છે.