ઘટના@રાધનપુર: જૂથ અથડામણમાં 1નું મોત, ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું
અટલ સમાચાર, રાધનપુર
કોરોનાને લઇ લોકડાઉન વચ્ચ રાધનપુર તાલુકાના ગામે ગત દિવસોએ જૂથ અથડામણ સર્જાઇ હતી. જોકે જૂથ અથડામણમાં ઇજાગ્રસ્ત થયેલ લોકો પૈકી એકનું આજે સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ. જેને લઇ પોલીસ દ્રારા સાવચેતીના ભાગરૂપે અને કોઇ અનિચ્છનિય ઘટના ના બને તે માટે ગામમાં પોલીસ કાફલો ઉતારી દીધો છે. ગામ આખુ પોલીસ છાવણીમાં ફેરવાતા ગામમાં હાલ અજંપાભરી શાંતિના માહોલ છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
પાટણ જીલ્લાના રાધનપુર તાલુકાના બંધવડ ગામે ગત મંગળવારે સાંજે જૂથ અથડામણ સર્જાઇ હતી. અગાઉની કોઇ બાબતને લઇ બે સમાજ વચ્ચે માથકૂટ જૂથ અથડામણમાં પરિણમી હતી. ઘટનામાં ચાર જેટલા વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. જોકે આજે સારવાર લઇ રહેલા એક યુવકનું મોત થયુ હતુ. જોકે યુવકના મોત બાદ ગામમાં કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તાત્કાલિક ગામમાં પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો.