ઘટના@રાધનપુર: રેલવે ફાટક પાસે મળ્યો મૃતદેહ, હત્યા કે આત્મહત્યા ?

અટલ સમાચાર, પાટણ રાધનપુરમાં રેલવે ફાટક પાસે ટ્રેન નીચે કપાયેલ હાલતમાં એક આશાસ્પદ યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. મૃતક યુવકે આત્મહત્યા કરી કે પછી અકસ્માતમાં મોત થયુ તે બાબતે પણ સવાલો ઉઠી રહ્યા છે. સમગ્ર મામલે રેલ્વેએ રાધનપુર પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ
 
ઘટના@રાધનપુર: રેલવે ફાટક પાસે મળ્યો મૃતદેહ, હત્યા કે આત્મહત્યા ?

અટલ સમાચાર, પાટણ

રાધનપુરમાં રેલવે ફાટક પાસે ટ્રેન નીચે કપાયેલ હાલતમાં એક આશાસ્પદ યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. મૃતક યુવકે આત્મહત્યા કરી કે પછી અકસ્માતમાં મોત થયુ તે બાબતે પણ સવાલો ઉઠી રહ્યા છે. સમગ્ર મામલે રેલ્વેએ રાધનપુર પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના રાધનપુરના ચલવાડા રેલ્વે ફાટક પાસે એક યુવકનો ટ્રેન નીચે કપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન રાધનપુરના સુલતાનપુરાનો હોવાનું સામે આવ્યુ છે. ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો ઘટનાસ્થળે પહોંચતા શોકનો માહોલ વ્યાપી ગયો હતો. 89થી 90 નંબરના ફાટક વચ્ચેના ટ્રેક નીચે કપાયેલ હાલતમાં મૃતદેહ મળ્યો હોવાની જાણ રેલ્વેએ રાધનપુર પોલીસને કરી હતી.

ઘટના@રાધનપુર: રેલવે ફાટક પાસે મળ્યો મૃતદેહ, હત્યા કે આત્મહત્યા ?

સુત્રોએ જણાવ્યુ હતુ કે, રાધનપુરમાં આશાસ્પદ યુવકનો મૃતદેહ મળ્યા બાદ અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. જેમાં યુવકે આત્મહત્યા કરી છે કે કેમ ? કે પછી અકસ્માતે ગાડી નીચે આવવાથી તેનુ મોત થયુ છે ? આ સમગ્ર સવાલોને લઇ રાધનપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.