ઘટના@રાધનપુર: ગેસનો બાટલો લીકેજ થતાં આગ, જાનહાનિ ટળી
અટલ સમાચાર, રાધનપુર કોરોના વાયરસને લઇ લોકડાઉન વચ્ચે રાધનપુર તાલુકાના ગામે ગેસનો બાટલો લીકેજ થતાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા અફરાતફરીના માહોલ વચ્ચે સ્થાનિક યુવાનોએ તાત્કાલિક પાણીનો છંટકાવ કરતા આગ ઉપર કાબુ મેળવાયો હતો. આગની ઘટનામાં ઘરવખરી સહિત અંદાજે ત્રણ લાખનો મુદ્દામાલ બળીને ખાખ થઇ ગયો હતો. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
May 25, 2020, 18:57 IST
અટલ સમાચાર, રાધનપુર
કોરોના વાયરસને લઇ લોકડાઉન વચ્ચે રાધનપુર તાલુકાના ગામે ગેસનો બાટલો લીકેજ થતાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા અફરાતફરીના માહોલ વચ્ચે સ્થાનિક યુવાનોએ તાત્કાલિક પાણીનો છંટકાવ કરતા આગ ઉપર કાબુ મેળવાયો હતો. આગની ઘટનામાં ઘરવખરી સહિત અંદાજે ત્રણ લાખનો મુદ્દામાલ બળીને ખાખ થઇ ગયો હતો.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
પાટણ જીલ્લાના રાધનપુર તાલુકાના ભીલોટ ગામે ગેસનો બાટલો લીકેજ થતાં આગ લાગી હતી. ચૌધરી કાનજીભાઇના ઘરે આગની ઘટનાની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઇ પાણીનો મારો ચલાવ્યો હતો. ગામના સરપંચ અને યુવાનોની મહેનતને કારણે જાનહાનિ ટળી હતી. જોકે આગની ઘટનામાં પરિવારનો ઘરવખરી સહિતનો સામાન બળીને ખાખ થઇ જતા પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે.